ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેણાસર ગામે કાર ચડાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ


SHARE













માળીયા (મી)ના વેણાસર ગામે કાર ચડાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં આરોપીને આજીવન કેદ

માળીયા મિયાણા તાલુકાના વેણાસર ગામે ઘોડાધ્રોઇ નદીના કાંઠે માછીમારી કરીને જમવા માટેનો પ્રોગ્રામ રાખવામા આવ્યો હતો ત્યારે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો જેમાં યુવાન ઉપર કાર ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં એક આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી છે અને એક આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટે હુકમ કર્યો છે.

હાલમાં મોરબીના સરકારી વકીલ પાસેથી આ કેસની મળી રહેલ માહિતી મુજબ વર્ષ 2021માં માળીયા (મી)ના વેણાસર ગામે રહેતા અશોકભાઈ જીલુભાઈ કુંવરીયા, રણજીતભાઇ મહીપતભાઈ કુંવારીયા, પ્રકાશ કાનાભાઇ લોલડીયા અને સુનિલ લાભુભાઈ કોરડીયા વેણાસર ગામની સીમમાં નદીના કાંઠે માછીમારી કરી રહ્યા હતા અને ત્યાં જમવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, સુનિલ લાભુભાઈ કોરડીયાએ તેમના ભાઈ સંદીપને પણ બનાવ સ્થળે બોલાવ્યો હતો. અને સંદીપે વધારે જમવાનું માંગતા ફરિયાદી અશોકભાઈ અને રણજીતે અમે મહેનત કરી છે. તારા ભાગમાં આવે તેટલું જમ તેમ કહ્યું હતું જેથી કરીને સુનિલ લાભુભાઈ કોરડીયા ગાળો બોલવા લાગ્યો હતો. અને ત્યાર બાદમાં રણજીતે ગાળો બોલવાની ના પડી હતી ત્યારે સુનિલે પોતાની ગાડી ચાલુ કરી રણજીત કુંવારીયા ઉપર ચડાવી દીધી હતી અને ગાડી બંધ પડી જતાં ગાડી નીચે જ રણજીતનું મોત નીપજયું હતું.

આ કેસમાં માળીયા મિયાણા તાલુકા પોલીસે અશોકભાઈ જીલુભાઈ કુંવરીયાની ફરિયાદને આધારે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયા અને સંદીપ લાભુભાઈ કોરડીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપીને પકડ્યા હતા જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ કમલ રસિકલાલ પંડયાની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ સંજયભાઇ દવેની દલીલ અને 9 મૌખિક અને 42 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને કોર્ટે આરોપી સુનિલ લાભુભાઈ કોરડીયાને આજીવન કેદની સજા તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો છે અને અને આરોપી સંદીપ લાભુભાઈ કોરડીયાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.






Latest News