મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય


SHARE















મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા પરિવારની સાથે રહેતી ગૌ માતાની બીમારીના લીધે અવસાન થતાં તેને ઘર નજીક જ સમાધિ આપવામાં આવી હતી અને ઘરના સભ્યોની જેમ જ સાથે રહેતી ગાય માતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા રાતાભરે ગામે રહેતા ચંદુભાઈ લક્ષ્મણભાઈ ખાવડીયા નામના ખેડૂત પરિવારને ત્યાં રહેતી ગાય માતાનું અવસાન થતા તેઓના પરિવાર દ્વારા ગાય માતાની સમાધિ આપવામાં આવી હતી વધુમાં ચંદુભાઈ ખાવડીયાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક નાની વાછરડી વર્ષો પહેલા લાવ્યા હતા અને તે છેલ્લા 35 વર્ષથી તેઓની સાથે રહેતી હતી તે ગાય માતા છેલ્લા છ મહિનાથી બીમાર હતી જેથી કરીને ઘરના સભ્યની જેમ જ તેની સેવાચકરી કરી હતી અને અંતે તા 8 ના રોજ ગાય માતાનું અવસાન થતાં પરિવારની આંખોના ખૂણા ભીના થયા હતા અને એક પરિવારના સભ્યોને જેમ તેને વિદાય આપવામાં આવતી હતી. આજે જ્યારે ગાય રસ્તે રજડતી જોવા મળે છે અને દૂધ ધોઈને ગાય આખો દિવસ જાહેર માર્ગો ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે તેવા લોકો માટે આ પરિવાર દીવાદાંડી સમાન છે.






Latest News