મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય


SHARE













મોરબીના રાતાભેર ગામે ઘરના સભ્ય સમાન ગૌ માતાને સમાધિ અપાય

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાતભેર ગામે રહેતા પરિવારની સાથે રહેતી ગૌ માતાની બીમારીના લીધે અવસાન થતાં તેને ઘર નજીક જ સમાધિ આપવામાં આવી હતી અને ઘરના સભ્યોની જેમ જ સાથે રહેતી ગાય માતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બન્યો હતો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા રાતાભરે ગામે રહેતા ચંદુભાઈ લક્ષ્મણભાઈ ખાવડીયા નામના ખેડૂત પરિવારને ત્યાં રહેતી ગાય માતાનું અવસાન થતા તેઓના પરિવાર દ્વારા ગાય માતાની સમાધિ આપવામાં આવી હતી વધુમાં ચંદુભાઈ ખાવડીયાના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ એક નાની વાછરડી વર્ષો પહેલા લાવ્યા હતા અને તે છેલ્લા 35 વર્ષથી તેઓની સાથે રહેતી હતી તે ગાય માતા છેલ્લા છ મહિનાથી બીમાર હતી જેથી કરીને ઘરના સભ્યની જેમ જ તેની સેવાચકરી કરી હતી અને અંતે તા 8 ના રોજ ગાય માતાનું અવસાન થતાં પરિવારની આંખોના ખૂણા ભીના થયા હતા અને એક પરિવારના સભ્યોને જેમ તેને વિદાય આપવામાં આવતી હતી. આજે જ્યારે ગાય રસ્તે રજડતી જોવા મળે છે અને દૂધ ધોઈને ગાય આખો દિવસ જાહેર માર્ગો ઉપર છૂટી મૂકી દેવામાં આવે છે તેવા લોકો માટે આ પરિવાર દીવાદાંડી સમાન છે.






Latest News