મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી જીલ્લા કલેક્ટરની બદલી અંગે મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના સામાજિક કાર્યકર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લા કલેકટરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.મોરબી જીલ્લા કલેકટરની બદલી કરવા માટે હાલમાં કરવામાં આવેલ માંગમાં જણાવયેલ છે કે મોરબી જીલ્લા કલેકટર તરીકે હાલમાં કે.બી.ઝવેરી છેલ્લા પાંચેક મહીના થયા ફરજ બજાવે છે.પરંતુ તેમની કામગીરીથી પ્રજાને ધણો જ અસંતોષ છે.

મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોષીએ વધુમાં જણાવેલ છે કે અરજદારોના પ્રશ્નોના નિકાલ થતા નથી.મોરબી જીલ્લો સવેદનસીલ હોય ત્યા ડાયરેક આઈએએસ.અધિકારી મુકવા જરૂરી છે.તેમજ આ નવા આવેલ કે.બી.ઝવેરી અગાઉ જીએસટી ખાતામાં હતા.જેથી તે અધિકારી રેવન્યુ મહેસુલ વિભાગના જાણકાર ન હોય તેઓને નીચેના સાથી અધિકારી અને કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેમ છે.જેથી ભવિષયમાં કોઈ કર્મચારી અધિકારીના હીતને નુકશાન પણ થાય મોરબી જીલ્લાના અસંખ્ય પ્રશ્નો હાલમાં જેમના તેમ છે.

આ બાબતે પુરવઠા વિભાગના પ્રશ્નો અંગે અરજદારે રજુઆત કરેલ પરંતુ નિયમોસર કોઈપણ કાર્યવાહી કરેલ નથી. "માસ્તર મારે નહી માસ્તર ભણાવે નહી" તેવી પરિસ્થિત આજે મોરબી જીલ્લાની પ્રજા ભોગવે છે.ભાજપ સરકારને ધણી જ બહુમતી મોરબીની પ્રજાએ  આપેલ છે.છતા આવા અધિકારીની અણ આવડત કે બેદરકારીને કારણે આગામી ચુંટણીમાં આની અસર જોવા મળે અને પ્રજાને સરકાર ઉપર વિશ્વાસ ઉઠી જાય છે. શ્રી ઝવેરી સાહેબ કલેકટર નિષ્ઠવાન અને ઈમાનદારી અધિકારી છે. પરંતુ રેવન્યુ અને મહેસુલ વિભાગનો કોઈ અનુભવ ન હોય તેમની નીચેના કર્મચારી ઉપર આધાર રાખીને કામ કરવુ પડે તેવી સ્થીત ઉભી થયેલ છે.આ તમામ બાબતે મારો જાત અનુભવ છે આજે પણ કલેકટર કચેરીમાં અંધેરીનગરીને ગંડુ રાજા જેવો તાલ છે.વધુમાં જણાવવાનું કે આ કચેરીમાં ધણા સમયથી એટલેકે ત્રણથી પાંચ વર્ષની ઉપરના કર્મચારીઓની બદલી થયેલ નથી જે તાત્કાલિક કરવાની જરૂરી છે.આ બાબતે યોગ્ય ન્યાયી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિતમાં માંગ કરવામાં આવેલ છે






Latest News