મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તીજ ઉત્સવનું આયોજન
SHARE
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તીજ ઉત્સવનું આયોજન
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા રાજસ્થાનની પરંપરાગત તહેવાર તીજ ઉત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.જેમાં ઉત્સવ અને એકતાનો ભાવ પુરેપુરો જોવા મળ્યો હતો.આ કાર્યક્રમમાં 80 કરતાં વધુ ઉત્સાહી સભ્યો ઉમટ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી સીમાબેન જાડેજા અને શ્રીમતી સોનલબેન શાહ જોડાયા હતા. આ કાર્યક્રમ રંગબેરંગી પ્રવૃત્તિઓથી ભરપુર રહ્યો હતો.જે તહેવારના મર્મને વ્યક્ત કરે છે.હાજર લોકોએ મનમોહક નૃત્ય પ્રદર્શન, રમૂજભરી રમતો, ફૅશન શો (ટ્રેડિશનલ આઉટફિટ) અને સમૂહ ભોજનનો આનંદ માણ્યો હતો.જીવંત માહોલ સૌને ખુશી અને આનંદમાં ડૂબી જવા માટે પ્રેરિત કરતો હતો. આ કાર્યક્રમ સમુદાયને સાથે મળી તહેવાર ઉજવવા અને સ્મૃતિઓ રચવા માટેની એક અનોખી તક પૂરી પડી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી ગર્વ અનુભવે છે કે તેણે આ પ્રકારની સજીવ અને સર્વસમાવેશક પ્રવૃત્તિનું આયોજન કર્યું.