મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક મોરબી: ફોર્ટિફિકેશન અભિગમથી કુપોષણ અને એનિમિયા મુક્ત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત


SHARE















મોરબીના બેલા નજીક કારખાનામાં બાઇકની સફાઈ કરતાં સમયે પડી જવાથી યુવાનનું મોત

મોરબીના બેલા ગામથી ખોખરા તરફ જવાના રસ્તા ઉપર આવતા સીરામીક કારખાનામાં બાઈકની સફાઈ કરતી વખતે યુવાન પડી ગયો હતો જેથી તેને ઈજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો આનંદભાઈ મેઘજીભાઈ ગોધવીયા (27) નામનો યુવાન મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવેલ એવેન્સ ગોલ્ડ ટાઇલ્સ નામના કારખાનામાં બાઇકની સફાઈ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે આ યુવાન પડી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી. અને તેની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતક યુવાનના વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેરાવત સીરામીકમાં રહેતો અને ત્યાં કામ કરતો ચિમ માંડોરામ વોમીજ (27) નામના યુવાનને બીમારી સબબ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને બિમારી સબબ તેનું મોત નીપજયું જેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે

યુવાન સારવારમાં

મોરબીના ભડીયાદ રોડ ઉપર રહેતો હેત ભરતભાઈ અઘારા (23) નામનો યુવાન લીલાપર રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટ પાસેથી એકટીવા લઈને જતો હતો. ત્યારે એકટીવામાંથી પડી જવાના કારણે તેને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી






Latest News