મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીની મહાવીર સોસાયટીમાં 15 ઓગસ્ટએ દેશભક્તિ ગીતનો કાર્યક્રમ યોજાશે
મોરબીની મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીમાં 15મી ઓગસ્ટના દિવસે દેશભક્તિના ગીતના સંગીતનો કાર્યક્રમ રાખવામા આવેલ છે.
મોરબીના લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તથા મોરબીના શનાળા રોડ પાસે આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ તથા મોરબીના સ્વઆંગન ક્લબ દ્વારા આગામી તા. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાત્રે 8 થી 11 સુધી શહીદ વીરો, દેશભક્તો અને મહાનુભાવોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે દેશભક્તિના ગીત-સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડ પર આવેલ મહાવીર કો.ઓ. હાઉસિંગ સોસાયટીના સાર્વજનિક મેદાનમાં રાખવામા આવેલ છે ત્યારે અધ્યક્ષસ્થાને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેશે. અને મોરબીના લોકોને આવવા માટે આયોજકે આમંત્રણ આપેલ છે.









