ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 


SHARE













મોરબીમાં માતા પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન 

મોરબીમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ હતો કે મોરબી નીચી માંડલ ગામે કેનાલ પાસે એક કિશોરી છે અને છેલ્લા ૧૬ કલાકથી આંટા ફેરા કરે છે અને કાંઈ પણ બોલતા નથી અને ખૂબ જ રડે છે જેથી કરીને કિશોરીની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટિમ ત્યાં પહોચી હતી.

ત્યાર બાદ અભયમ ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા મહિલા કોન્સ્ટેબલ લક્ષ્મીબેન તેમજ પાયલોટ જીગરભાઈ શેરઠીયા ઘટના સ્થળે કિશોરી પાસે પહોચીને તેનું કાઉન્સિલિંગ કયું હતું અને તેને મોટીવેટ કરી હતી ત્યારે કિશોરી પાસેથી તેના ઘરનું સરનામું મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ત્યારે એવી માહિતી સામે આવી હતી કે, કિશોરી તેના માતા, પિતા, એક ભાઈ તેમજ એક બહેન સાથેના સહ પરિવાર સાથે રહે છે. અને કિશોરીએ કહ્યું હતું કે, કામકાજ બાબતે તેમના માતા પિતા ખીજાતા હતાં અને માર મારતાં હતાં. અને નાની નાની વાતે માનસિક ત્રાસ આપતા હતાઅને અપશબ્દો કહેતા હતા જેથી તે કંટાળીને ઘરેથી નીકળી ગયેલ હતી, અને તેના માતા પિતા ઉંચા કોટડા નીવેદ કરવા ગયા હતા પાછળથી તે ઘરેથી નીકળી ગયેલ હતી. ત્યારબાદ તેમના માતા પિતા જે કંપનીમાં કામ કરતા હતા તે કંપનીનું સરનામું મેળવીને તેના માતા પિતા અને કંપનીના માલિક સાથે વાતચીત કરેલ હતી અને ત્યાં પહોચ્યા હતા. ત્યારે કિશોરીના માતા પિતાએ કહ્યું હતું કે, દીકરી કહ્યા વગર નીકળી ગયેલ હતી તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલ હતા પરંતુ તે મળેલ ન હતી. હાલમાં કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે અને તેને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.






Latest News