ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું દબાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ (31) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર લિફ્ટમાં તેનું માથું અકસ્માતે દબાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું પડી જવાથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા યુનુસભાઈ હાસમભાઇ ખોખર (65)ને દોઢ-બે મહિનાથી કેન્સર ની બીમારી હતી જેથી માનસિક તકલીફ થઈ જતા તે ઘરે રહેતા ન હતા અને સાંજના છેક વાગ્યે અરસામાં તે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની સાઈડમાં તેઓ પડી જતા તેનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News