મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













મોરબી નજીક કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું આવી જતા ઇજા પામેલ યુવાનનું મોત

મોરબીના હરીપર કેરાળા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લિફ્ટમાં માથું દબાઈ જવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના હરીપર કેરાળા રોડ ઉપર આવેલ નેશનલ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતો નથી ત્યાં મજૂરી કામ કરતો અશ્વિનભાઈ દેવાભાઈ વાસણ (31) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ પણ કારણોસર લિફ્ટમાં તેનું માથું અકસ્માતે દબાઈ ગયું હતું જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધનું પડી જવાથી મોત

વાંકાનેર શહેરમાં આવેલ પચ્ચીસ વારિયામાં રહેતા યુનુસભાઈ હાસમભાઇ ખોખર (65)ને દોઢ-બે મહિનાથી કેન્સર ની બીમારી હતી જેથી માનસિક તકલીફ થઈ જતા તે ઘરે રહેતા ન હતા અને સાંજના છેક વાગ્યે અરસામાં તે ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડની સાઈડમાં તેઓ પડી જતા તેનું મોત થયુ હતુ અને તેના મૃતદેહને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News