ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE













વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખેતર પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરનારાઓને રેતીનો ઢગલો દૂર કરવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચ શખ્સો દ્વારા બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ત્રણ વ્યક્તિઓને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા અશોકભાઈ અરજણભાઈ ડાભી (45) એ હાલમાં જગા વજુ ભરવાડ, સંજય ભના ભરવાડ, નાથા વાઘા ભરવાડ અને હાથી ભરવાડ રહે બધા તરકીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા હરેશભાઈ અને વિજયભાઈ વાડીએ હાજર હતા ત્યારે આરોપીઓ તેઓની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરતા હતા અને ફરિયાદીએ રેતીનો ઢગલો દૂર કરવા માટે તેને કહ્યું હતું. જે આરોપીઓને સારું ન લાગતા જગા ભરવાડે ઉશ્કેરાઈ જઈને તેના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ સંજયભરવાડે ડાબા પગમાં લાકડી વડે માર માર્યો હતો. અને નાથા ભરવાડે માથામાં લાકડી મારી હતી અને ત્યારે ફરિયાદીને બચાવવા માટે હરેશભાઈ અને વિજયભાઈ વચ્ચે પડતાં તેને પણ લાકડી વડે માર માર્યો હતો અને ઇજા કરેલ છે જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે.






Latest News