મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE







વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખેતર પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરનારાઓને રેતીનો ઢગલો દૂર કરવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચ શખ્સો દ્વારા બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ત્રણ વ્યક્તિઓને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા અશોકભાઈ અરજણભાઈ ડાભી (45) એ હાલમાં જગા વજુ ભરવાડ, સંજય ભના ભરવાડ, નાથા વાઘા ભરવાડ અને હાથી ભરવાડ રહે બધા તરકીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા હરેશભાઈ અને વિજયભાઈ વાડીએ હાજર હતા ત્યારે આરોપીઓ તેઓની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરતા હતા અને ફરિયાદીએ રેતીનો ઢગલો દૂર કરવા માટે તેને કહ્યું હતું. જે આરોપીઓને સારું ન લાગતા જગા ભરવાડે ઉશ્કેરાઈ જઈને તેના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ સંજયભરવાડે ડાબા પગમાં લાકડી વડે માર માર્યો હતો. અને નાથા ભરવાડે માથામાં લાકડી મારી હતી અને ત્યારે ફરિયાદીને બચાવવા માટે હરેશભાઈ અને વિજયભાઈ વચ્ચે પડતાં તેને પણ લાકડી વડે માર માર્યો હતો અને ઇજા કરેલ છે જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે.






Latest News