શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE









વાંકાનેરના તરકીયા ગામે સીમના રસ્તે રેતીનો ઢગલો દૂર કરવાનું કહેતા યુવાન સહિત ત્રણ વ્યક્તિને પાંચ શખ્સોએ લાકડી વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખેતર પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરનારાઓને રેતીનો ઢગલો દૂર કરવા માટે થઈને કહ્યું હતું જે તેને સારું નહીં લાગતા પાંચ શખ્સો દ્વારા બોલાચાલી કરી માથાકૂટ કરી હતી અને ત્રણ વ્યક્તિઓને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં વાડીએ રહેતા અશોકભાઈ અરજણભાઈ ડાભી (45) એ હાલમાં જગા વજુ ભરવાડ, સંજય ભના ભરવાડ, નાથા વાઘા ભરવાડ અને હાથી ભરવાડ રહે બધા તરકીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા હરેશભાઈ અને વિજયભાઈ વાડીએ હાજર હતા ત્યારે આરોપીઓ તેઓની વાડીના સેઢા પાસે રસ્તા ઉપર રેતીનો ઢગલો કરતા હતા અને ફરિયાદીએ રેતીનો ઢગલો દૂર કરવા માટે તેને કહ્યું હતું. જે આરોપીઓને સારું ન લાગતા જગા ભરવાડે ઉશ્કેરાઈ જઈને તેના પાસે રહેલ લાકડી વડે ફરિયાદીને માર માર્યો હતો તેમજ સંજયભરવાડે ડાબા પગમાં લાકડી વડે માર માર્યો હતો. અને નાથા ભરવાડે માથામાં લાકડી મારી હતી અને ત્યારે ફરિયાદીને બચાવવા માટે હરેશભાઈ અને વિજયભાઈ વચ્ચે પડતાં તેને પણ લાકડી વડે માર માર્યો હતો અને ઇજા કરેલ છે જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને પાંચેય આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે.






Latest News