મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરાઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-વવાણીયા જયદીપ કંપનીના સ્વ.ઉદયસિંહજી જાડેજા પરિવારની ચોથી પેઢીના બાળકમાં પણ દેશભક્તિથી છલોછલ


SHARE









મોરબી-વવાણીયા જયદીપ કંપનીના સ્વ.ઉદયસિંહજી જાડેજા પરિવારની ચોથી પેઢીનું બાળક પણ દેશભક્તિથી છલોછલ

આ આપણી માતૃભૂમિને અંગ્રેજોની ચુંગાલમાંથી આઝાદ કરાવવા, ગુલામીની ઝંઝીરો તોડીને માઁ ભારતીના ચરણોમાં આઝાદીની સૌગાથ અર્પણ કરવા ન જાને કેટકેટલા નવલોહીયા, લવરમૂછીયા, આશાભર્યા યુવાનોએ, વયસ્કોએ પોતાના પ્રાણ હંસતા હંસતા ન્યોછાવર કરીને માઁ ભારતીને ગુલામીની બેડીઓમાંથી આઝાદી અપાવીએ માત્રભૂમિને, તે માઁ ભારતીને આન, બાન અને શનનાં પ્રતિક એવા તિરંગાને સલામી આપવાનો અમુલ્ય અવસર એટલે 15 ઓગસ્ટ, સ્વતંત્રપર્વનો દિવસ.

દેશભરમાં જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી થઇ રહી હતી ત્યારે મોરબીમાં પણ દેશદાઝથી ભર્યા પ્રસંગોની સાથે અનેક જગ્યાએ તિરંગાને સલામી આપવામાં આવી હતી.જયારે પણ આ દેશનું સ્વાતંત્ર્ય પર્વ હોય કે પછી ગણતંત્ર દિવસ હોય આ દેશના બાંધવો અબાલથી લઈ વૃદ્ધ સુઘી કે પછી આ દેશની એકતા, અખંડિતતાની વાત આવે ત્યારે આ દેશબંધુઓની એકતાની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે તેમ છે.

ત્યારે આજે મોરબી પંથકમાં પણ ઠેર ઠેર તિરંગાને સલામી આપવા સાથે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ અને દેશદાઝના દર્શન થઇ રહ્યા હતા. નગરજનો એક બીજાને મળી સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર શુભકામનાઓ પાઠવી રહ્યા હતા.ત્યારે મોરબી માળીયા સમગ્ર પંથકમા મોટાભાઈના હુલામણા નામથી જાણીતા અને મોરબી માળીયા પંથક સાહિત દેશનું હિત જેમના હૈયે જીવનપર્યત રહ્યું અને જેમના દ્વારા કોઇપણ રચનાત્મક કે સેવાકાર્યમાં સહયોગ હોય જ અને આજે એજ પ્રણાલીને આગળ વધારતો તેમનો પરિવાર એટલે સ્વ.ઉદયસિંહજીભાઇ જાડેજાનો પરિવાર (જયદીપ એન્ડ કુ. મોરબી-વવાણીયા) અને એ પરિવારના એક સૈનિકની વેશભૂષામાં સજ્જ એક નાના બાળસૈનિકની દેશદાઝની ભાવના પણ નોંધનીય હતી

આર્યવિરસિંહ વિશ્વરાજસિંહ જાડેજા શબ્દોમાં તો પોતાની દેશભક્તિ દેશદાઝને વર્ણવી ન હોતા શકતા પણ તેની ખુમારી, તેની અક્કડ, અને રાજપુતાના અંદાઝ, અને તેનું ક્ષત્રીયતેજ તેના અંગે અંગમાંથી છલકી રહ્યુ હતુ.જે ઘણું બધુ કહી રહ્યુ હતું ! આ દેશમાં, મારા ભારતમાં જો એક બાળકના દિલમાં પણ રાષ્ટ્ર માટે આવી  દેશભક્તિથી છલોછલ ભાવનાઓ અને દેશદાઝ ઉભરાતી હોય તે દેશ તરફ કોઈની મજાલ છે ઉંચી નજર કરીએ જુએ ?






Latest News