મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ


SHARE









મોરબીની પાટીદાર દીકરીઓ-ઉદ્યોગકારો વિષે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા કોર્ટનો હુકમ

મોરબી પાટીદાર સમાજની દીકરીઓ અને ઉદ્યોગપતિ વિશે કાજલ હિન્દુસ્તાની દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેથી તેની સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી આપવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા હુકમ કર્યો છે અને આગામી તા 17/9 ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે.

સુરતમાં અંદાજે એક વર્ષ પહેલા યોજાયેલા એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા મોરબી પાટીદાર સમાજને દીકરીઓ અને ઉદ્યોગકારો વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને મોરબીના પાટીદાર સમાજમાં ભારે આક્રોશની લાગણી હતી અને તેને લઈને મોરબીમાં મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી યોજીને મોરબીના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કાજલ હિન્દુસ્તાનીને પાટીદાર સમાજની માફી માંગવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું જોકે તેના દ્વારા પાટીદાર સમાજની માફી માંગવામાં આવી ન હતી.

ત્યાર બાદ કાજલ શિંગાળા (કાજલ હિન્દુસ્તાની) સામે મોરબીની તાલુકા કોર્ટમાં મનોજ પનારાએ બદનક્ષીની લેખિત ફોજદારી અરજી ફરિયાદ આપેલ હતી જેને ધ્યાને લઈને કોર્ટે તા 14 ઓગસ્ટના રોજ કાજલ હિન્દુસ્તાની સામે બદનક્ષીનો ગુનો નોંધવા માટે હુકમ કરેલ છે અને આગામી તા.17 મી સપ્ટેમ્બરે કાજલ હિન્દુસ્તાનીને કોર્ટમાં હાજર રહેવા માટેનું સમન્સ કાઢ્યું છે. અને ત્યાર બડે બદનક્ષીનો કેસ મોરબીની તાલુકા કોર્ટમાં ચાલશે તેવું મનોજ પનારા અને તેના વકીલ જયદીપભાઈ પંચોટીયા પાસેથી જાણવા મળેલ છે.






Latest News