મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે મેળા માટેની હરરાજી કાલે યોજાશે

મોરબીના જાંબુડિયા ગામે ગ્રામ પંચાયત દ્વારા મેળાના મેદાનની હરરાજી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ સ્થળ ઉપર પાણી ભરેલ છે જેથી કરીને સોઇલ ટેસ્ટ કરવા માટેની માંગ કરી હતી જેથી શુક્રવારે હરરાજી કરવામાં આવી ન હતી અને હવે શનિવારે રફાળેશ્વર મેળા મેદાન માટે હરરાજીની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તેના માટે તા 16 ના રોજ હરરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે, હરાજીમાં ભાગ લેવા માટે આવેલ પાર્ટીઓએ મેળાના મેદાનમાં પાણી ભરેલ છે જેથી કરીને સરકારની એસોપી મુજબ પહેલા જમીનનો સોઇલ ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી હરરજી કરવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને કાલે તા 17 ના રોજ રફાળેશ્વર મેળા મેદાન માટે સવારે 11 કલાકે હરરાજી રાખવામા આવેલ છે. તેવું જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચની યાદીમાં જણાવ્યુ છે.






Latest News