મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં ચા ની કેબીનની પાછળ લાકડા સાથે દોરી બાંધીને યુવાને અણધાર્યું પગલું ભરી લીધું


SHARE















મોરબીમાં ચા ની કેબીનની પાછળ લાકડા સાથે દોરી બાંધીને યુવાને અણધાર્યું પગલું ભરી લીધું

મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે ચાની કેબીનની પાછળના ભાગમાં લાકડા સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ યુવાનને માનસિક તકલીફ હોય તેને આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે સંકલ્પ એપાર્ટમેન્ટની સામેના ભાગમાં ચામુંડા ટી સ્ટોલ નામની કેબીનની પાછળ લાકડામાં દોરી બાંધીને કનભાઈ જેવડેભાઈ કામી જાતે બીક (38) રહે. હાલ ટીન એપાર્ટમેન્ટ નરસંગ ટેકરી મંદિર પાસે મૂળ રહે નેપાળ વાળાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પરિવાર દ્વારા આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતકના પરિવાર પાસેથી પોલીસને મળેલી વિગત મુજબ છેલ્લા ત્રણેક મહિનાથી મૃતક યુવાનને માનસિક તકલીફ હોય તે માનસિક તકલીફના કારણે આવેશમાં આવી જઈને આ પગલું ભર્યું છે તેવી વિગત સામે આવી છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News