મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી


SHARE











મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી

મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનામાં હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી તો પણ આજની તારીખે હત્યાના આ ચકચારી કેસમાં હત્યા કોણે કરી હતી તેની કોઈ માહિતી સામે આવેલ નથી અને આરોપી પડાયેલ નથી. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કોઈ નિષ્કર્ષ કેમ આવેલ નથી ? અને આવા ગંભીર બનાવમાં સીઆઇડી કેમ ઉણી ઉતરી ? તે સૌથી મોટો સવાલ છે. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટેનો હુકમ કરેલ છે.






Latest News