મોરબી: 30 લાખના વાહન ચોરીના ડિટેકશન સંદર્ભે પોલીસ કર્મચારીનું રેન્જ આઇજી સહિતનાઓએ કર્યું સન્માન
મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી
SHARE
મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસની તપાસ હાઈકોર્ટે સીબીઆઇને સોંપી
મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં ૧૪ વર્ષના નિખિલની નિર્મમ હત્યા કરેલ હાલતમાં કોથળામાંથી લાશ મળી હતી. જે ગુનામાં હજુ સુધી આરોપી પકડાયેલ નથી ત્યારે હાઇકોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઇને સોપવાનો હુકમ કરવામાં આવેલ છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના ૧૪ વર્ષના દીકરા નિખિલની નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેની લાશ મોરબીના રમઘાટ પાસેથી વર્ષ ૨૦૧૫ માં મળી હતી જેની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધેયલ હતી. જેની પહેલા સ્થાનિક પોલીસ ત્યાર બાદ એલસીબી અને છેલ્લે સીઆઇડી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી હતી તો પણ આજની તારીખે હત્યાના આ ચકચારી કેસમાં હત્યા કોણે કરી હતી તેની કોઈ માહિતી સામે આવેલ નથી અને આરોપી પડાયેલ નથી. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી પરિવારે માંગણી કરી હતી તેવામાં હાઇકોર્ટ દ્વાર સીઆઇડીએ વર્ષો સુધી તપાસ કરી તો પણ કોઈ નિષ્કર્ષ કેમ આવેલ નથી ? અને આવા ગંભીર બનાવમાં સીઆઇડી કેમ ઉણી ઉતરી ? તે સૌથી મોટો સવાલ છે. જેથી કરીને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટેનો હુકમ કરેલ છે.