ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત


SHARE













વાંકાનેર શહેર-તાલુકામાં નેશનલ હાઇવે ઉપર બે અકસ્માતમાં બે યુવાનના મોત

વાંકાનેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ચંદ્રપુર ગામ નજીક અને વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતના જુદા જુદા બે બનાવ બન્યા હતા અને તે બંને બનાવમાં ગંભીર ઇજા થવાના કારણે બે યુવાનોના મોત નીપજયાં હતા જે બંને બનાવની વાંકાનેર સિટી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપર નૂરાની કોમ્પ્લેક્સ સામેથી સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા અકબરભાઈ સલેમાનભાઈ રતનિયા (25) રહે. કેરાળા તાલુકો વાંકાનેર વાળાની સાઇકલને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે આ યુવાનના શરીર ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડમ્પર ચાલકે હડફેટે લેતા શૈલેષભાઈ રમેશભાઈ બામણીયા (22) રહે. પાંચાવડા ગામ વાળાને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ ચોટીલાની હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં
મોરબીના રાજપર રોડે હિમશીલા કંપનીમાં રહેતો અને કામ કરતો પંકજભાઈ નવલભાઇ પરમાર (27) નામનો યુવાન સાંજના સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતે ઉપરોક્ત કંપનીમાં હતો ત્યારે કોઈ કારણસર બીજા માળેથી નીચે પડી જતા માથે અને શરીરે ઈજા થતાં પ્રથમ સારવાર મોરબી સિવિલ હોસ્પિટલ બાદ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવતા ઈમરજન્સીમાં દાખલ કરેલ છે.






Latest News