મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો


SHARE













મોરબીમાં શનિવારે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય લોકડાયરો

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જુદાજુદા કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં શનિવારે રાત્રે ભવ્ય લોકડાયરો યોજાશે અને તેનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા કરવામાં આવ્યું છે

મોરબીમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત શનિવારે લોક ડાયરો યોજાનાર છે લોક ડાયરો રાત્રે ૯ કલાકે અમૃત પાર્ક સોસાયટી, સેન્ટમેરી સ્કૂલ પાછળ, નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે અને લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ, લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ, પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા રજૂ કરશે તેવું દેવેનભાઇ વ્યાસે માહિતી આપતા જણાવ્યુ છે






Latest News