મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ


SHARE













મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ

સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી રેલી નીકળી હતી અને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. અને હાલમાં ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબી આગેવાનો સહિતના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તે ચુકાદાનો અમે સખ્ત વિરોધ કરીને નવો કાયદો રદ્દ કરીને જુનો કાયદો હતો તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News