મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વદેશી અભિયાન અન્વયે સશક્ત નારી મેળાનું આયોજનઃ પ્રભારી મંત્રી ત્રિકમભાઇ છાંગા ઉદ્ઘાટન કરાશે   ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબી ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનિંગ યોજાઈ ભારે કરી: મોરબી જીલ્લામાં ખાનગી શાળાની માન્યતા ચેક કર્યા પછી સંતાનોને એડમિશન અપાવના જિલ્લા શિક્ષણાધિકારીનો વાલીઓને અનુરોધ ! ​​​​​​​મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની કરાઇ ઉજવણી મોરબીમાં 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં વધુ 2 આરોપીની ધરપકડ, કુલ 5 ઝડપાયા મોરબીના રાજપર રોડે વાડામાંથી 106 બોટલ દારૂ સાથે આરોપીની ધરપકડ: રાજસ્થાની સપ્લાયરની શોધખોળ વાંકાનેરની ઢુવા ચોકડી પાસે ઝાડા ઉલટી થયા બાદ સારવારમાં ખસેડાયેલ બાળકીનું મોત મોરબી નજીક તળાવમાં ડૂબી રહેલા વ્યક્તિને ફાયરની ટીમે બચાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર નજીક આર્થિક સંકળામણથી કંટાળીને વૃદ્ધે અણધાર્યું પગલું ભર્યું


SHARE











મોરબીના લક્ષ્મીનગર નજીક આર્થિક સંકળામણથી કંટાળીને વૃદ્ધે અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા વૃદ્ધે લક્ષ્મીનગર ગામની સીમમાં કારખાના નજીક આર્થિક સંકળામણના કારણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કેરાળા ગામના રહેવાસી અને હાલમાં ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ પાટીદાર ટાઉનશીપમાં બિલ્ડીંગ એ-5 બ્લોક નં- 103 માં રહેતા હરજીવનભાઈ દેવકરણભાઈ ચારોલા (60) એ મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ બાલાજી સિમેન્ટ પાઇપના કારખાના પાસે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે. અને વૃદ્ધે આર્થિક સંકળામણના લીધે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક ચોરી

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે દરિયાલાલ મલ્ટિપ્લેક્સની બહારના ભાગમાં મોરબીના આલાપ રોડ ઉપર આવેલ ગંગા ટાવરની બાજુમાં સાયન્ટિફિક ઘડિયાળના કારખાનાના ક્વાર્ટરમાં રહેતા મૂળ ધાંગધ્રા તાલુકાના એંજાર ગામના રહેવાસી કરમણભાઈ રાઘવજીભાઈ કુડેચા (53) નામના આધેડે પોતાનું બાઈક નંબર જીજે 36 એકે 1857 પાર કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી કરીને 55,000 ની કિંમત ના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા આધેડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.






Latest News