મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં આધેડનું માથું એસટી બસના ટાયર નીચે ચગદી નાખનારા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

હળવદમાં દશા માતાજીના મંદિર પાસેથી પસાર થઈ રહેલા આધેડના બાઇકને એસટી બસના ચાલકે હડફેટ લીધું હતુ અને ત્યારે એસટી બસના ચાલકે આધેડના માથા ઉપરથી બસના ટાયરનો જોટો ફેરવી દીધો હતો જેથી કરીને આધેડનું મોત થયું હતું જે બનાવમાં મૃતકના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એસટી બસના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા અશોકભાઈ મનુભાઈ લોરીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસટી બસ નંબર જીજે 18 ઝેડ 5498 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના ધાંગધ્રા રોડ ઉપર આવેલ દશા માતાજીના મંદિર પાસે વિનોબા ગ્રાઉન્ડ પાસેથી તેઓના પિતા તેનું બાઇક નંબર જીજે 3 એએ 2571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે એસટી બસના ચાલકે તેને હડફેટે લીધા હતા અને ફરિયાદીના પિતા રસ્તા ઉપર નીચે પડી જતાં તેના માથા ઉપરથી એસટી બસનો પાછળનો ટાયરનો જોટો ફરી ગયો હતો જેથી કરીને ફરિયાદીના પિતા મનુભાઈ ઉર્ફે મનહરભાઈ લોરીયા (55) નું માથું ચગડાઈ જવાના કારણે મોત નીપજયું હતું. ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસ એસટી બસમાં ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News