મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર છરી વડે હુમલો કરનારા શખ્સની ધરપકડ  મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો


SHARE











આજરોજ મોરબી જિલ્લામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 'લખપતિ દીદી' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મોરબી-માળીયા, ઉપપ્રમુખશ્રી જીલ્લા પંચાયત હીરાભાઈ ટમારીયા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત લખપતિ દીદી કાર્યક્રમમાં વિવિધ સખી મંડળોને લોન સહાય આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લખપતિ દીદીઓએ પણ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા તેમજ ક્લસ્ટર કક્ષાએ કાર્યક્રમમાં ૫૩ સખી મંડળોને કુલ રૂપિયા ૭૮.૦૦ લાખની રકમની સી.સી. લોન મંજુર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ૨૦ સખી મંડળોને ૬.૦૦ લાખ રૂપિયાના ચેક રીવોલ્વીંગ ફંડ તરીકે તથા ૩૦ સખી મંડળોને સી.આઈ.એફ. તરીકે ૪૫.૦૦ લાખ રૂપિયાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧૦૩ સખી મંડળોને કુલ રકમ રૂપિયા ૧૨૯.૦૦ લાખની સહાય આપવામાં આવી તેમજ કુલ ૨૦ લખપતી દીદીને “લખપતી દીદી સટીઁફીકેટ” એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.






Latest News