મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન

બેલા-ભરતનગર સ્થિત શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદનો સુમેળ સર્જાશે.

ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાઓ માટે પ્રખ્યાત હરિહરધામ ખાતે તા. 01 એપ્રિલ 2026, બુધવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 9:00 કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે, ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. રાત્રે 9:30 ક્લાકે સંતવાણી અને ડાયરા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તથા વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે.આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News