મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન


SHARE











મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન

બેલા-ભરતનગર સ્થિત શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્વર પૂજ્ય માઁ કનકેશ્વરી દેવીજીના પાવન સાન્નિધ્યમાં યોજાનાર આ મહોત્સવમાં ભક્તો માટે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદનો સુમેળ સર્જાશે.

ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક તેમજ ગૌસેવા જેવી અનેકવિધ સેવાઓ માટે પ્રખ્યાત હરિહરધામ ખાતે તા. 01 એપ્રિલ 2026, બુધવારે વિવિધ કાર્યક્રમો યોજાશે. સવારે 9:00 કલાકે અખંડ રામધૂનનો પ્રારંભ થશે, ત્યારબાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું છે. રાત્રે 9:30 ક્લાકે સંતવાણી અને ડાયરા કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર સાંઈરામ દવે તથા વિખ્યાત ભજનિક દેવ ભટ્ટ ગ્રૂપ દ્વારા ભક્તિમય રજૂઆતો કરવામાં આવશે, જે ભક્તોને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવશે.આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ દ્વારા સર્વે ભક્તજનોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






Latest News