મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી
વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી
SHARE
વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી
લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે. જેમાં કોઈ અજાણી મહિલાએ તેની બાળકીને ત્યજી દીધી હતી અને તે ત્યજી દેવામાં આવેલ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં બાળકી જોવા મળતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં દોડી આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.
વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ કોઈપણ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ત્યજી દીધી હતી ત્યાર બાદ નિરાધાર બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતાને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.