મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી


SHARE











વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી

લોકોના શરીરમાંથી કંપારી છૂટી જાય તેવી ઘટના વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાંથી સામે આવી છે. જેમાં કોઈ અજાણી મહિલાએ તેની બાળકીને ત્યજી દીધી હતી અને તે ત્યજી દેવામાં આવેલ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હતી જેથી લોહીલુહાણ હાલતમાં બાળકી જોવા મળતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં દોડી આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેરના અરણીટીંબા ગામની સીમમાં કોઈ અજાણી મહિલાએ કોઈપણ કારણોસર તાજી જન્મેલી ફૂલ જેવી માસૂમ બાળકીને નિઃસહાય હાલતમાં ખુલ્લામાં ત્યજી દીધી હતી ત્યાર બાદ નિરાધાર બાળકીને રખડતા શ્વાને ફાડી ખાધી હતી. આ બનાવની ગ્રામજનોને જાણ થતાં લોકો ત્યાં દોડી ગયા હતા અને બાળકીનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે આવી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને નવજાત બાળકીને ત્યજી દેનારી નિષ્ઠુર જનેતાને શોધવા માટેની પોલીસે કવાયત હાથ ધરી છે.






Latest News