મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા
વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
SHARE
વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
વાંકાનેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી અને મહાકાળી માતાજીની તળેટીમાં આવેલ શ્રી ગાયત્રી શકિતપીઠનો આગામી તા.28 ને શનિવારના રોજ 34 મો પાટોત્સવ યોજાશે.
આ પાટોત્સવ પ્રસંગે તા.28ના રોજ સવારે 8થી 12 સ્થાપિત દેવતાઓનું પુજન તથા સમુહ જપ આ સાથે શ્રી વેદમાતા ગાયત્રી ચેરી. ટ્રસ્ટના બિલ્ડીંગ ખાતે આવેલ વાત્સલ્ય ભુવન ખાતે સવારે 10થી 1 વાગ્યા સુધી મહા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે સાથે સાથે પ્રજ્ઞા જનસેવા ટ્રષ્ટ દ્વારા સંચાલીત તત્સત નેચર કયોર એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન ગાયત્રી શકિતપીઠ દ્વારા કરવામાં આવેલ છે.
ત્યારબાદ સાંજે 4 કલાકથી નવકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે જે સતત ત્રણ કલાક ચાલુ રહેશે અને સાંજે સાત વાગ્યે પુર્ણાંહુતિ થશે. ત્યારબાદ માં વેદમાતા ગાયત્રી, માં આદ્યશકિત શ્રી અંબાજી માતાજી, શ્રી મહા સરસ્વતી માતા શ્રી મહાકાળીમાં તથા શકિતપીઠમાં સ્થાપિત દેવી-દેવતાઓની મહાઆરતી યોજાશે જેમાં હજારો લોકોની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમ ગાયત્રી શકિતપીઠના મહંત અશ્ર્વિનબાપુ રાવલે માહિતી આપતા જણાવેલ હતું.
મહાઆરતી બાદ શકિતપીઠની બાજુમાં આવેલ વિશાળ ગ્રાઉન્ડમાં સાંજે 7-30 કલાકથી મહાપ્રસાદનો પ્રારંભ થશે જેમાં સાતથી આઠ હજાર માંઈ ભકતો પ્રસાદ ગ્રહણ કરશે અને માંની આરાધના કરશે. તો આ દિવસે તમામ આમંત્રીત ભકતજનોએ હવન, મહાઆરતી તથા મહાપ્રસાદમાં સહ પરિવાર સાથે લાભ લેવા મહંત અશ્વિનબાપુ રાવલે યાદીમાં જણાવેલ છે.