મોરબીમાં મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવન નું ભૂમિપુજન કરાયું
હળવદના બુટવડા ગામે નદીના પાણીમાં તણાઇ ગયેલા આધેડનો ચાર દિવસે મૃતદેહ મળ્યો
SHARE
હળવદના બુટવડા ગામે નદીના પાણીમાં તણાઇ ગયેલા આધેડનો ચાર દિવસે મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના બુટવડા ગામ પાસેથી પસાર થતી નદીમાં ચાર દિવસ પહેલા આધેડ તણાઈ ગયા હતા જેની ડેડબોડી ગઈ કાલે સવારે મળી આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના બુટવડા ગામે રહેતા રમતુભાઇ બેચરભાઈ ઝાપડા (50) નામના આધેડ સાયકલ ચલાવીને બુટવડા ગામે નદી પાસે પાણી હતું ત્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ નદીમાં પાણીમાં તણાઈ ગયા હતા જેથી તેની શોધખોળ કરવામાં આવતી હતી જેનો મૃતદેહ ગઈકાલે સવારે 10:15 વાગ્યાના અરસામાં મળી આવ્યો હતો જેથી કરીને આ અંગેની મૃતકના ભાઈ રમેશભાઈ બેચરભાઈ ઝાપડા (39) રહે. બુટવડા વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
વૃદ્ધનું મોત
મોરબી શહેરમાં આવેલ ગાંધી ચોક પાસે બીમાર હાલતમાં સુતેલા વૃદ્ધને સારવાર માટે થઈને સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન વિરેન્દ્રકુમાર રામરતનભાઇ વિશ્વકર્મા (70) રહે એન્ટિક સીરામીક મોરબી વાળાનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.