દિવાળી પહેલા ગેસના ભાવની હોળી: મોરબીના સિરામિકમાં વપરાતા ગેસના ભાવમાં 11.66 રૂપિયાનો વધારો ઝીકયો
મોરબીના હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત
SHARE
મોરબીના હળવદમાં કેનાલમાં ન્હાવા ગયેલા આધેડનું ડૂબી જવાથી મોત
મોરબી જિલ્લાના હળવદમાં સીટી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા માટે ગયેલા આધેડનો પગથિયા ઉપરથી પગ લપસી જતા કેનાલમાં પડીને ડૂબી જવાથી આધેડનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
હળવદ પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના શંકરપરા વિસ્તારમાં રહેતા સલીમભાઈ ઉસ્માનભાઈ લોલાડીયા જાતે મુસ્લિમ નામના પચાસ વર્ષીય આધાડ ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે હરીદર્શન હોટલ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા તે દરમિયાનમાં નર્મદા કેનાલના પગથિયાં ઊતરતા સમયે પગ લપસી ગયો હતો અને તેઓ નર્મદાની કેનાલમાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી સલીમભાઈ લોલાડીયાનું મોત નીપજયું હતું.બનાવને પગલે મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો અને હળવદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.એન.બાલાસરાએ આગળની તપાસ હાથ ધરી છે.
અકસ્માત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ડમ્પર ચાલકે રોંગ સાઈડમાં પોતાનું ડમ્પર નંબર જીજે ૧૨ બીએફ ૯૫૪૪ ચલાવીને ફૂલ સ્પીડમાં આવીને સામેથી આવી રહેલ ટેન્કર નંબર જીજે ૧૨ બી ડબલ્યુ ૭૭૯૧ સાથે ભટકાતા અકસ્માતે વાહનમાં આગ લાગી ગઈ હતી જેથી કરીને આગ લાગતા વાહન સંપૂર્ણ બળીને ખાખ થઇ જતાં તેમાં નુકસાન થયેલ છે અને ડમ્પર ચાલક પોતાનું વાહન મૂકીને નાશી ગયેલ છે માટે ટેન્કરના ચાલક રોહિતભાઈ ધનજીભાઈ આગરીયા જાતે આહીર (ઉમર વર્ષ ૨૫) રહે, અંતરજાળ તાલુકો ગાંધીધામ વાળાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે