મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક એક્સપોર્ટમાં ત્રણ માહિનામાં ૩૦૦ કરોડથી વધુનું ગાબડું, ગુજરાત ગેસ કંપની સામે ભારોભાર આક્રોશ: મુકેશભાઇ કુંડારિયા


SHARE







મોરબીના સિરામિક એક્સપોર્ટમાં ત્રણ માહિનામાં ૩૦૦ કરોડથી વધુનું ગાબડું, ગુજરાત ગેસ કંપની સામે ભારોભાર આક્રોશ: મુકેશભાઇ કુંડારિયા

મોરબી સહિત દેશમાં લાખો લોકોને રોજગારી આપતો અને સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ આપતો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા જે રીતે ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવ્યો છે તે જોતાં ગુજરાત ગેસ કંપનીની મોનોપોલીના કારણે ઉદ્યોગકારોને સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને હાલમાં ગુજરાત ગેસ કંપનીની નીતિરીતિને લઈને ઉદ્યોગકારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે કેમ કે, સતત ટૂંકા ગાળાની અંદર બીજો વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ઉધોગના વળતા પાણી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી

દુનિયામાં આજે ચાઈનાની અંદર નેચરલ ગેસ ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે ત્યારે મોરબીની અંદર આજની તારીખે ટેક્સ સાથે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી કરાર આધારિત ગેસ સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને આ પરિસ્થિતિની વચ્ચે મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી તેવું મોરબી સિરામિક વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયાએ જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ કરતા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે તેમ છતાં પણ આ ઉદ્યોગને સરકાર તરફથી કોઈપણ પ્રકારની હૂંફ મળતી નથી તેવું હાલમાં લાગી રહ્યું છે

ગુજરાત ગેસ કંપની દ્વારા થોડા દિવસો પહેલા ભાવમાં ૧૦.૧૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જેને હજી ગ્રાહકોમાં ઉદ્યોગકારો પાસઓન કરી શક્યા નથી ત્યાં ગુજરાત ગેસ કંપની દ્વારા ૧લી નવેમ્બરથી વધુ ૧૧.૬૬ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે જેથી કરીને આ ઉદ્યોગ ટકી શકે તેમ નથી મુકેશભાઇ કુંડારિયાજણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની સાથે છેલ્લા ૨૦ દિવસથી ગેસના ભાવ વધારાને લઇને ચર્ચાઓ કરવામાં આવી હતી. જોકે ભાવવધારો આવશે તે બાબતે તેમણે વાત કરી હતી પરંતુ કેટલો ભાવ વધારે આવશે તેના અંગેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી અને છેલ્લા દિવસોમાં ઇન્ટરનેશનલ અને લોક માર્કેટમાંથી જે ઓર્ડર લેવામાં આવ્યા હોય તેમાં હાલમાં ભાવને લઇને બહુ મોટી માથાકૂટ થાય છે જેથી કરીને જો ગેસ કંપની દ્વારા અગાઉથી જ ભાવ વધારા અંગેની જાણ કરવામાં આવતી હોય તો તે મુજબ ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈને ઉદ્યોગકારો કામ કરી શકે છે

જો કે, છેલ્લી ઘડીએ જે રીતે ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવે છે અને ઉદ્યોગકારોને ઈમેલ કરીને ભાવ વધારાની જાણ થતી હોય છે તે નીતિરીતિ સામે તેઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મોરબીના ઉદ્યોગકારોમાં પણ રોષની લાગણી છે આજની તારીખે મોરબીની આસપાસમા ભારતનો સૌથી મોટો સિરામિક ઉદ્યોગ આવેલ છે તેવી જ રીતે ચાઇનામાં પણ સિરામિક ઉદ્યોગ છે જો કે ચાઇનાની સરકાર દ્વારા સિરામિક ઉદ્યોગને માત્ર પંદર રૂપિયાના ભાવથી નેચરલ ગેસ સપ્લાય કરવામાં આવે ત્યારે અહીના ઉદ્યોગકારોને સરકાર દ્વારા ગુજરાત ગેસ કંપની મારફતે આજની તારીખે ૬૨.૫૩ રૂપિયાના ભાવથી કરાર આધારીત ગેસ આપવામાં આવે છે આ પરિસ્થિતિની વચ્ચે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી

 વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે સતત ગેસના ભાવ વધારાના કારણે સિરામિક ઉધોગના વળતા પાણી હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જોકે સરકાર દ્વારા આમાં કોઈ હુ આપવામાં આવે તેવી તેમણે લાગણી વ્યક્ત કરે છે અત્રે ઉએલેખનીય છે કે, જુલાઈ મહિનાની અંદર મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ૧૧૦૦ કરોડ, ઓગસ્ટમાં ૧૦૦૦ કરોડ અને સપ્ટેમ્બરમાં ૮૦૦ કરોડનું એક્સપોટ કરેલ છે આમ છેલ્લા ત્રણ મહિનાની જ વાત કરીએ તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોનું એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે જેથી કરીને ઇન્ટરનેશનલ માર્કેટ હાલના ગેસના ભાવ વધારાના લીધે તૂટી રહ્યું છે આ પરિસ્થિતિની વચ્ચે મોરબીની અંદર જે ગુજરાત ગેસ કંપની દ્વારા પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે પાઇપ લાઇનમાં પીએનજીઆર દ્વારા વેકલ્પિક ગેસ નાખવા માટે તેને છૂટ આપવામાં આવે તો ગેસ કંપનીઓ વચ્ચે હરીફાઈ થાય અને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ મળે તેવી શક્યતા છે જોકે આમાં પણ ગુજરાત ગેસ કંપનીની દાદાગીરીના કારણે અન્ય કોઈ ગેસ કંપનીને ગેસ નાખવા માટેની છૂટ આપવામાં આવતી નથી જેથી કરીને સિરામિક ઉદ્યોગકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે






Latest News