મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને અહીંયા ગમતું ન હતું જેથી કરીને તેને વતનમાં પરત જવું હતું દરમિયાન તેણે લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ (18) નામના યુવાને રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાન પાંચેક દિવસ પહેલા જ તેના વતનમાંથી અહી રોજગારી માટે આવ્યો હતો જો કે તેને અહીંયા ગમતું ન હતું અને તેને વતનમાં પાછું જવું હતું દરમિયાન તેણે આ અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવું તેની સાથે રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા સતિષભાઈ માવજીભાઈ વણોલ (29) નામનો યુવાન મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક બોલેરો ગાડી સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

રાજકોટની બેડી ચોકડી પાસે રહેતા નરેશ નારણભાઈ સીતાપરા (23) નામનો યુવાન મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારીયા નજીક હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગેવાની કાર્યવાહી હાથ ધરી છે






Latest News