મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું


SHARE









મોરબી જીલ્લામાં રોજગારી માટે પાંચ દિવસ પહેલા આવેલા યુવાને અણધાર્યું પગલું ભર્યું

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને અહીંયા ગમતું ન હતું જેથી કરીને તેને વતનમાં પરત જવું હતું દરમિયાન તેણે લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ (18) નામના યુવાને રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટર મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક યુવાન પાંચેક દિવસ પહેલા જ તેના વતનમાંથી અહી રોજગારી માટે આવ્યો હતો જો કે તેને અહીંયા ગમતું ન હતું અને તેને વતનમાં પાછું જવું હતું દરમિયાન તેણે આ અંતિમ પગલું ભરી લીધેલ છે. તેવું તેની સાથે રહેલા લોકો પાસેથી જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ખાખરાળા ગામે રહેતા સતિષભાઈ માવજીભાઈ વણોલ (29) નામનો યુવાન મોરબીમાં પરાબજાર પાસે આવેલ ત્રિકોણબાગ નજીકથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક બોલેરો ગાડી સાથે અથડાતા અકસ્માત થયો હતો. જે બનાવમાં તેને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા

રાજકોટની બેડી ચોકડી પાસે રહેતા નરેશ નારણભાઈ સીતાપરા (23) નામનો યુવાન મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ 25 વારીયા નજીક હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગેવાની કાર્યવાહી હાથ ધરી છે






Latest News