મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં ચાંદીની પાલખીમાં ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રા યોજાઇ

તાજેતરમાં પર્યુષણ પર્વ પૂર્ણ થયેલ છે અને દર વર્ષે મોરબીમાં જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર સ્વામિની નગરયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે. આજે પ.પૂ. બોધિદર્શન વિજયજી તથા સાધ્વીજી મહારાજની આગેવાન હાજરીમાં મોરબીના દરબાર ગઢ પાસે આવેલા દેરાસરેથી ચાંદીની પાલખીમાં ભગવાન નગરયાત્રાએ નીકળ્યા હતા અને મોરબીના ગ્રીન ચોક, નાગર દરવાજા ચોક, સરદાર રોડ, સવાસર પ્લોટ થઈને આ નગરયાત્રા મોરબીના શનાળા રોડે આવેલ જૈન દેરાસરે પહોચી હતી અને મોરબી દરબારગઢ સંઘ દ્વારા આ શોભાયાત્રાનું આયાઓજ્ન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પારણાનો લ્હાવો શાહ પરિવારેપાલખીનો લ્હાવો અજમેરા પરિવારે અને સારથીનો લ્હાવો સોલાણી અને વોરા પરિવારે લીધો હતો. તેવું સંઘના ટ્રસ્ટી ભાવેશભાઈ દોશી પાસેથી જાણવા મળેલ છે




Latest News