મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન


SHARE

















મોરબીમાં સેવ ટ્રી સેવ એનવાયરમેંટ ના મેસેજ સાથે સિધ્ધી વિનાયક કા રાજા ગણેશોત્સવનું ભાવિ આયોજન

મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસ.પી. રોડ ઉપર અરવિંદભાઈ બારૈયા અને ત ટીમે દર વર્ષની જેમ આ વર્ષે પણ "સિધ્ધી વિનાયક કા રાજા" ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. અને ત્યાં વધુમાં વધુ ભક્તો દર્શન અને આરતીનો લાભ મળે તેના માટે સિધ્ધી વિનાયક કા રાજા માં જુદાજુદા બે સમયે આરતી કરવામાં આવે છે. ત્યારે મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ જયદીપભાઈ પટેલ સહિતના ત્યાં હાજર રહ્યા હતા અને આરતીનો લાભ લીધેલ હતો. વધુમાં માહિતી આપતા ઓમ બારૈયાએ જણાવ્યુ હતું કે, આ વખતે ગણેશ મહોત્સવની સાથે પર્યાવરણ અને પ્રકૃતિના જતનનો મેસેજ પણ સમાજમાં જાત તે માટે જંગલની થીમ ઉપર સિધ્ધી વિનાયક કા રાજા ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે. વધુમાં એવું પણ જણાવ્યુ હતું કે, દરરોજ 10 થી 12 હજાર જેટલા લોકો ગણપતિ બાપાના દર્શન અને આરતીનો લાભ લેવા માટે આવે છે.




Latest News