ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ


SHARE













મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે જેની વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તેને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. જેથી લોકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે તો સમય બતાવશે.

મોરબી શહેરના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જો કે, તેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી અને તે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે જેથી લોકોમાં પાલિકા સામે ભારોભાર આક્રોશ છે તેવામાં સ્થાનિકો મહિલાઓ સહિતના લોકોએ ગુરુવારે શનાળા રોડે ચક્કાજામ કર્યો હતો. જેથી કરીને પાલિકાની ટીમો અને ચીફ ઓફિસર ત્યાં આવ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની સમસ્યાને ઉકેવાની ખાતરી આપેલ હતી. જો કે, આ લોકોની સમસ્યાનો કાયમી નિકાલ આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.








Latest News