આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ


SHARE













મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે જેની વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તેને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. જેથી લોકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે તો સમય બતાવશે.

મોરબી શહેરના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જો કે, તેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી અને તે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે જેથી લોકોમાં પાલિકા સામે ભારોભાર આક્રોશ છે તેવામાં સ્થાનિકો મહિલાઓ સહિતના લોકોએ ગુરુવારે શનાળા રોડે ચક્કાજામ કર્યો હતો. જેથી કરીને પાલિકાની ટીમો અને ચીફ ઓફિસર ત્યાં આવ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની સમસ્યાને ઉકેવાની ખાતરી આપેલ હતી. જો કે, આ લોકોની સમસ્યાનો કાયમી નિકાલ આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News