મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના તાલીમાર્થીઓને ધારાસભ્યના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ
મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ
SHARE
મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ
મોરબીના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે જેની વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તેને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. જેથી લોકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે તો સમય બતાવશે.
મોરબી શહેરના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જો કે, તેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી અને તે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે જેથી લોકોમાં પાલિકા સામે ભારોભાર આક્રોશ છે તેવામાં સ્થાનિકો મહિલાઓ સહિતના લોકોએ ગુરુવારે શનાળા રોડે ચક્કાજામ કર્યો હતો. જેથી કરીને પાલિકાની ટીમો અને ચીફ ઓફિસર ત્યાં આવ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની સમસ્યાને ઉકેવાની ખાતરી આપેલ હતી. જો કે, આ લોકોની સમસ્યાનો કાયમી નિકાલ આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.









