મોરબી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમે મુલાકાત લીધી
હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન
SHARE
હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન
મોરબી પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યૂ છે જેમાં કુલ મળીને પાંચ જગ્યાએ મુર્તિ સ્વીકારવામાં આવશે અને મોરબી પાલિકાના વર્ષો જૂના પીકનીક સેન્ટરમાં કૃત્રિમ કુંડ બનાવી ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.
મોરબી પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, 8 ફૂટથી નીચેની મૂર્તિઓ માટે મોરબીના શનાળા રોડે સ્કાય મોલ, જેલ રોડે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ. ગ્રાઉન્ડ અને વીસીપરામાં ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મુર્તિને એકત્રિત કરવામાં આવશે અને 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને લઈને શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર ખાતે આવવાનું રહેશે. અને મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને સલામત રીતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અને પીકનીક સેન્ટર કે પછી ચાર કલેક્શન સેન્ટર ખાતે 10 થી વધુ લોકોએ આવવું નહિ. અંતે ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી હતી કે ગણેશ વિસર્જન માટે ક્યાંય પણ નદી, નાલા કે તળાવ પાસે જવું નહીં. અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ કર્યો છે.









