મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન


SHARE





હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન

મોરબી પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યૂ છે જેમાં કુલ મળીને પાંચ જગ્યાએ મુર્તિ સ્વીકારવામાં આવશે અને મોરબી પાલિકાના વર્ષો જૂના પીકનીક સેન્ટરમાં કૃત્રિમ કુંડ બનાવી ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, 8 ફૂટથી નીચેની મૂર્તિઓ માટે મોરબીના શનાળા રોડે સ્કાય મોલ, જેલ રોડે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ. ગ્રાઉન્ડ અને વીસીપરામાં ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મુર્તિને એકત્રિત કરવામાં આવશે અને 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને લઈને શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર ખાતે આવવાનું રહેશે. અને મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને સલામત રીતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અને પીકનીક સેન્ટર કે પછી ચાર કલેક્શન સેન્ટર ખાતે 10 થી વધુ લોકોએ આવવું નહિ. અંતે ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી હતી કે ગણેશ વિસર્જન માટે ક્યાંય પણ નદી, નાલા કે તળાવ પાસે જવું નહીં. અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ કર્યો છે.




Latest News