મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન


SHARE













હાશ મોરબી પાલિકાને પીકનીક સેન્ટર યાદ આવ્યૂ !: કૃત્રિમ કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું કરાશે વિસર્જન

મોરબી પાલિકા દ્વારા સલામત રીતે ગણેશ વિસર્જન કરાવવા માટેનું આયોજન કરવામાં આવ્યૂ છે જેમાં કુલ મળીને પાંચ જગ્યાએ મુર્તિ સ્વીકારવામાં આવશે અને મોરબી પાલિકાના વર્ષો જૂના પીકનીક સેન્ટરમાં કૃત્રિમ કુંડ બનાવી ત્યાં પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન કરવામાં આવશે.

મોરબી પાલિકાના ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, 8 ફૂટથી નીચેની મૂર્તિઓ માટે મોરબીના શનાળા રોડે સ્કાય મોલ, જેલ રોડે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ.ઇ. ગ્રાઉન્ડ અને વીસીપરામાં ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મુર્તિને એકત્રિત કરવામાં આવશે અને 8 ફૂટથી ઊંચી મૂર્તિઓને લઈને શોભેશ્વર રોડ ઉપર પીકનીક સેન્ટર ખાતે આવવાનું રહેશે. અને મૂર્તિઓનું પીકનીક સેન્ટર ખાતે કૃત્રિમ કુંડ બનાવીને સલામત રીતે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અને પીકનીક સેન્ટર કે પછી ચાર કલેક્શન સેન્ટર ખાતે 10 થી વધુ લોકોએ આવવું નહિ. અંતે ચીફ ઓફિસરે લોકોને અપીલ કરી હતી કે ગણેશ વિસર્જન માટે ક્યાંય પણ નદી, નાલા કે તળાવ પાસે જવું નહીં. અને તંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થામાં સહકાર આપવા અનુરોધ કર્યો છે.






Latest News