આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં સરદાર સોસાયટી સામે આવેલ ધર્મવિજય સોસાયટીમાં નવા બનતા બહુમાળીમાં પાંચમાં માળે સેન્ટીંગ ખોલતા સમયે યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઠાકોર ફળિયુના રહેવાસી અને હાલમાં મોરબીમાં બાયપાસ રોડ નજીક આવેલ સરદાર સોસાયટી પાસે ધર્મ વિજય સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સ દ્વારા જે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ પુનાભાઈ બારીઆ જાતે કોળી (29) નામનો યુવાન પાંચમા માળે સેન્ટીંગ ખોલવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની દિનેશભાઈ સરતનભાઈ બારીઆ જાતે કોળી (36) રહે. હાલ ધર્મવિજય સોસાયટી મૂળ રહે દેવગઢ બારીયા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સિરામિક ખાતે રહેતા ચંદનભાઈ શેશનાથ યાદવ (25) નામના યુવાનનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે






Latest News