માળીયા (મી)ના ચિખલી ગામ પાસે રેડ: 2800 લિટર આથો, 200 લિટર દેશી દારૂ અને બોલેરો સહિત 4.10 લાખનો મુદમાલ કબ્જે મોરબીના ઘુંટુ રોડ ઉપર ચિચોડામાં હાથ આવી જતા યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં બ્લડ કેન્સરની બીમારીથી 7 વર્ષની બાળકીનું મોત હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ મોરબી: લાલપર પીએચસી દ્રારા સર્વાઇકલ કેન્સરને રોકવા HPV રસીકરણનો પ્રારંભ મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં શિક્ષકે પિતાની સ્મૃતિમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક વસ્તુ અર્પણ કરી મોરબી મહાસંઘ દ્વારા ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં સરદાર સોસાયટી સામે આવેલ ધર્મવિજય સોસાયટીમાં નવા બનતા બહુમાળીમાં પાંચમાં માળે સેન્ટીંગ ખોલતા સમયે યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઠાકોર ફળિયુના રહેવાસી અને હાલમાં મોરબીમાં બાયપાસ રોડ નજીક આવેલ સરદાર સોસાયટી પાસે ધર્મ વિજય સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સ દ્વારા જે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ પુનાભાઈ બારીઆ જાતે કોળી (29) નામનો યુવાન પાંચમા માળે સેન્ટીંગ ખોલવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની દિનેશભાઈ સરતનભાઈ બારીઆ જાતે કોળી (36) રહે. હાલ ધર્મવિજય સોસાયટી મૂળ રહે દેવગઢ બારીયા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સિરામિક ખાતે રહેતા ચંદનભાઈ શેશનાથ યાદવ (25) નામના યુવાનનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે






Latest News