મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખના પિતાના સ્મરણાર્થે વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવ્યુ મોરબીના બાયપાસ રોડે ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત વાંકાનેરમાં આવેલ જય ગોપાલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી મોરબીના જેતપર ગામે રૂપિયાની લેતી દેતી બાબતે યુવાનની માતા-ભાઈને ધમકી આપીને કાર, રોકડા રૂપિયા, ત્રણ મોબાઈલની લૂંટ: ત્રણ શખ્સ સામે ફરિયાદ મોરબીના અણીયારી ગામ પાસે તળાવ કાંઠેથી કોહવાઈ ગયેલ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીની ધર્મવિજય સોસાયટીમાં સેંટિંગ ખોલતા સમયે પાંચમા માળેથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીમાં સરદાર સોસાયટી સામે આવેલ ધર્મવિજય સોસાયટીમાં નવા બનતા બહુમાળીમાં પાંચમાં માળે સેન્ટીંગ ખોલતા સમયે યુવાન ઉપરથી નીચે પડ્યો હતો જેથી કરીને તેને માથામાં ગંભીર ઇજા થવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું અને આ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ઠાકોર ફળિયુના રહેવાસી અને હાલમાં મોરબીમાં બાયપાસ રોડ નજીક આવેલ સરદાર સોસાયટી પાસે ધર્મ વિજય સોસાયટીમાં બાલાજી ડેવલોપર્સ દ્વારા જે બહુમાળીનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યાં રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ પુનાભાઈ બારીઆ જાતે કોળી (29) નામનો યુવાન પાંચમા માળે સેન્ટીંગ ખોલવાનું કામ કરી રહ્યો હતો દરમિયાન તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની દિનેશભાઈ સરતનભાઈ બારીઆ જાતે કોળી (36) રહે. હાલ ધર્મવિજય સોસાયટી મૂળ રહે દેવગઢ બારીયા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાનનું મોત

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે આવેલ સનહાર્ટ સિરામિક ખાતે રહેતા ચંદનભાઈ શેશનાથ યાદવ (25) નામના યુવાનનું કોઈ પણ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એમ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે




Latest News