મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો માળીયા મીયાણા નજીક સુરજબારી પુલ પાસે પલટી મારી ગયેલા ટેન્કર નીચે દબાઈ જવાથી ડ્રાઇવરનું મોત મોરબીના સોખડા ગામ પાસે કારખાનામાં કામ કરતા સમયે લિફ્ટ પડવાથી ઇજા પામેલા આધેડનું મોત: ધુતારી વાડી વિસ્તારમાં ઝેરી દવા પી યુવાનનો આપઘાત વાંકાનેરમાં જોધપર પાસે ઓવરટેક કરવા જતા સમયે ડમ્પર ચાલકે હડફેટે લેતા બલેનો કાર પલટી મારી ગઈ: ઇજાગ્રસ્ત પિતા-પુત્ર સારવારમાં મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત


SHARE













મોરબીના આંદરણા ગામ નજીક ડમ્પર પાછળ કાર અથડાતા યુવાનનુ મોત

રફાળેશ્વર અને ત્રાજપર ચોકડી પાસે મારામારીમાં બે ઘાયલ

મોરબીના હળવદ રોડ આંદરણા ગામની પાસે આવેલ હોટલની સામે અકસ્માત સર્જાયો હતો જેમા મૂળ યુપીના યુવાનનુ મોત નીપજયુ હતુ. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ ઉતરપ્રદેશના કાનપુર તા. બીધનીના ટીકરમભાઈ ગામના અને હાલમાં હળવદ રોડ ઉપર આવેલ આંદરણા ગામે ગેલકૃપા હોટલ ખાતે રહેતા શ્યામચંદ્ર કૈલાષભાઈ યાદવ (ઉં.35)  નામના યુવાનનુ ગત તા.9-9ના સાંજના પાંચેક વાગ્યે અકસ્માત બનાવમાં મોત નીપજયુ હતુ.

આંદરણા ગામે ગેલકૃપાની સામેથી શ્યામચંદ્ર યાદવ તેની વેગનઆર યુપી-78-એફ 2808 લઈને જતો હતો ત્યારે ગેલકૃપા હોટલની સામે આગળ જતા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા કાર પાછળના ભાગે ઘુસી ગઈ હતી. જેથી ગંભીર ઈજાઓ થવાથી શ્યામચંદ્ર યાદવનુ મોત નીપજયુ હતુ. તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચરે આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા
રફાળેશ્વર ગામે રહેતા શાંતિલાલ સાંકેત (ઉં.40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સીવીલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા આગળની તપાસ હાથ ધરાયેલ છે.બીજો બનાવ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે બન્યો હતો. જેમા અજાણ્યા ઈસમે માર મારતા લીલાપર ગામે રહેતા બીરજુભાઈ ભરતભાઈ ટાટી (ઉં.50) ને સારવારમાં ખસેડાયા હતા.બી ડીવીઝનના હિતેષભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરાયેલ છે.

વાહન અકસ્માત
મોરબીના રહેવાસી નુરઅલી સલીમભાઈ નોતિયાર (ઉં.24) નામનો યુવાન મકનસર જતો હતો ત્યારે રસ્તામાં મકનસર ગામે આવેલ મનોજ પાનની સામે તેનુ મોટરસાયકલ સ્લીપ થઈ જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો. તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા તપાસ ચલાવી રહ્યા છે.






Latest News