મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ


SHARE







હળવદના નવા ધનાળા ગામના પાટીયા થયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે એસટીના ડ્રાઇવરે નોંધાવી ફરિયાદ

હળવદ તાલુકાના નવા ધનાળા ગામના પાટીયા પાસે આવેલ કારખાના સામે હાઇવે રોડ ઉપર ટ્રક બંધ પડ્યો હતો તેમાં પાછળના ભાગે એસટીની બસ અથડાઈ હતી જેથી કરીને ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા જે બનાવમાં એસટી બસના ડ્રાઇવરે હાલમાં ટ્રકના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ આણંદ જિલ્લાના સામરખા ગામના રહેવાસી એસટી બસના ડ્રાઇવર મનુભાઈ ભોઈ (38)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ટેલર નંબર જીજે 12 બીવાય 8875 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નવા ધનાળા ગામના પાટીયા પાસે કારખાનાની સામેના ભાગમાંથી તેઓ આણંદથી મુન્દ્રા તરફ એસટીની સ્લીપર કોચ બસ નંબર જીજે 18 ઝેડ 9509 લઈને જઈ રહ્યા હતા દરમિયાન રાત્રિના સમયે આરોપીનો ટ્રક હાઇવે રોડ ઉપર બંધ હાલતમાં પડ્યો હતો અને ત્યાં પાર્કિંગ લાઈટ કે કોઈ આડસ મૂકવામાં આવી ન હતી જેથી કરીને એસટી બસ ટ્રકની પાછળના ભાગમાં અથડાતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીને તથા બસના કંડકટર ભરતભાઈ છનાભાઈ પટેલ તેમજ બસમાં બેઠેલા મુસાફરોને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા તમામ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળક સારવારમાં

મોરબીમાં પ્રભુ કૃપા ટાઉનશીપથી પ્રકૃતિ સોસાયટી તરફ બાઈક ઉપર જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ધવ્યા મનોજભાઈ વરમોરા (10) રહે. પ્લોટ વિસ્તાર સરા ને ઇજા થતાં તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News