મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા


SHARE













માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા

માળીયા મીયાણામાં આવેલ મોવર ટીંબા વિસ્તારમાં રહેતા આધેડને તે જ વિસ્તારમાં રહેતા બે શખ્સની સાથે જમવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે આધેડને શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના હરીપર આકડીયા વિસ્તારમાં રહેતા અજયભાઈ ચંદુભાઈ ભીમાણી (25) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રજાક ગફુરભાઈ મોવર રહે બને મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 20/9 ના રાત્રિના પોણા બારેક વાગ્યાથી લઈને 21 તારીખના સવારના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૃતકના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (58) ને બંને આરોપીઓએ જમવા બાબતે ઝઘડો કરીને તેનું મન દુઃખ રાખીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. જાડેજા ચલાવી રહ્યા છે








Latest News