શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા


SHARE









માળીયા મીયાણાના મોવર ટીંબા વિસ્તારમાં જમવા બાબતના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સોએ ધોકા વડે માર મારીને આધેડની કરી હત્યા

માળીયા મીયાણામાં આવેલ મોવર ટીંબા વિસ્તારમાં રહેતા આધેડને તે જ વિસ્તારમાં રહેતા બે શખ્સની સાથે જમવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે આધેડને શરીર ઉપર આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના હરીપર આકડીયા વિસ્તારમાં રહેતા અજયભાઈ ચંદુભાઈ ભીમાણી (25) એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નુરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર અને રજાક ગફુરભાઈ મોવર રહે બને મોવર ટીંબા માળિયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તારીખ 20/9 ના રાત્રિના પોણા બારેક વાગ્યાથી લઈને 21 તારીખના સવારના 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મૃતકના પિતા ચંદુભાઈ લાધાભાઇ ભીમાણી (58) ને બંને આરોપીઓએ જમવા બાબતે ઝઘડો કરીને તેનું મન દુઃખ રાખીને લાકડાના ધોકા વડે શરીરે આડેધડ માર માર્યો હતો. જેથી કરીને ગંભીર રીતે ઇજા પામેલા ફરિયાદીના પિતાનું મોત નીપજ્યું હતું આ બનાવમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.કે. જાડેજા ચલાવી રહ્યા છે






Latest News