માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો


SHARE

















વાંકાનેરમાં ઉછીના આપેલા ૨૦૦ પાછા માંગતા આધેડ ઉપર પથ્થર વડે હુમલો

વાંકાનેરમાં જીનપરા વિસ્તારમાં અજંતા પાનની દુકાન પાસે આધેડે અગાઉ આપેલા હાથ ઉછીના 200 રૂપિયા પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને ગાળો આપીને ઈંટ વડે ડાબા હાથના કાંડાના ભાગે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને આ બનાવની ભોગ બનેલા આધેડે વાંકાનેર  સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત આધારે વાંકાનેરમાં આવેલ મિતુલ પટેલ ના દવાખાનાની પાછળના ભાગમાં અમરનાથ સોસાયટી શેરી નંબર ૧ માં રહેતા રમેશભાઈ હરજીભાઈ પટેલ (53) એ વિજયભાઈ સોમાભાઈ બાવળીયા રહે. જીનપરા શેરી નંબર 12 વાંકાનેર વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે બે દિવસ પહેલા તેણે વિજયભાઈ ને હાથ ઉછીના ₹200 આપ્યા હતા જે પૈસા તેણે પાછા માંગતા સામેવાળાને સારું લાગ્યું ન હતું જેથી કરીને તેણે આધેડને ગાળો આપી હતી અને ત્યારબાદ ઈંટના ટુકડાનો ઘા કરી ને ફરિયાદીને હાથના કાંડાના ભાગે મૂઢમાર માર્યો હતો અને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા આધારીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News