મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો


SHARE

















હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો

હળવદના ખારી વાળી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવવાની હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 19) નામના યુવાનનો હળવદમાં આવેલ પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ગઈકાલે બાઇક લઈને નીકળી ગયા બાદ ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી દરમિયાનમાં તેનો મૃતદેહ નર્મદાની કેનાલ માંથી મળી આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.




Latest News