મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો


SHARE













હળવદમાં કેનાલમાં ડૂબી ગયેલા યુવાનનો અંતે મૃતદેહ જ મળ્યો

હળવદના ખારી વાળી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલ મારફતે આ બનાવવાની હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 19) નામના યુવાનનો હળવદમાં આવેલ પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક યુવાન ગઈકાલે બાઇક લઈને નીકળી ગયા બાદ ગુમ થઈ ગયો હતો જેથી કરીને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી દરમિયાનમાં તેનો મૃતદેહ નર્મદાની કેનાલ માંથી મળી આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.




Latest News