મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

નવરાત્રીમાં વિધર્મીઓને ગાવા, વગાડવા કે રમવા આવવા દેવા ન જોઇએ, હનુમાન ચાલીસા કેન્દ્રો હિન્દુઓને સંગઠીત કરવાનું માધ્યમ: પ્રવિણ તોગડીયા


SHARE







નવરાત્રીમાં વિધર્મીઓને ગાવાવગાડવા કે રમવા આવવા દેવા ન જોઇએ, હનુમાન ચાલીસા કેન્દ્રો હિન્દુઓને સંગઠીત કરવાનું માધ્યમ: પ્રવિણ તોગડીયા

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં આજે મોરબીના જલારામ મંદિર ખાતે સંગઠનને મજબુત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખાસ કરીને તેઓએ હિન્દુઓને સંગઠિત થવા ઉપર અને જુદા જુદા વિસ્તારોની અંદર હનુમાન ચાલીસાના કેન્દ્ર શરૂ થાય તેના ઉપર પણ ભાર મૂક્યો હતો આ ઉપરાંત આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીને ગાવા કે વગાડવા માટે અથવા તો રાસ રમવા માટે પાર્ટી પ્લોટમાં પ્રવેશવા ન દેવા તેવી પણ પ્રવિણ તોગડીયા દ્વારા ટકોર તેમના કરવામાં આવી હતી.

આજે મોરબીના જલારામ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમની અંદર મોરબીમાંથી ભાજપ સાથે જોડાયેલા આગેવાનોપાલિકાના માજી પ્રમુખ સહિતના લોકો પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત ઘણા બધા લોકો સંગઠનને મજબુત કરવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને તેમની હાજરીમાં પ્રવીણ તોગડીયાએ કહેયુ હતુ કેહાલમાં ઇઝરાયેલના એક કરોડ લોકો જે રીતે 20 કરોડ લોકોની સામે સંગઠિત થઈને લડી રહ્યા છે આવી જ રીતે હિન્દુઓ પણ ભારત દેશની અંદર સંગઠિત થઈને લડત લડે તે માટે થઈને લોકોને જાગૃત કરવા અને હિન્દુઓને સંગઠિત કરવા માટે થઈને જુદા જુદા સેન્ટરો ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે.

વધુમાં તેમણે કહ્યું હતું કેઆજની તારીખે સમગ્ર ભારત દેશની અંદર એક લાખ સેન્ટરો ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલી રહ્યા છે અને જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં 25 જેટલી જગ્યા ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે છે જો કે આગામી સમયમાં 101 જેટલી જગ્યા ઉપર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલુ થાય અને હિન્દુઓ સંગઠિત થાય તેવી કામગીરી કરવા માટે મોરબી જિલ્લાના આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ સહિતના હોદ્દેદારોને ટકોર કરી હતી.

તે ઉપરાંત ભુતકાળમાં મોરબીમાં નવરાત્રીના રાસ ગરબામાં જે ઘટના બની હતી અને જુદીજુદી જગ્યાએ ઘટનાઓ બની છે તેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે ત્યારે નવરાત્રીના પંડાલોમાં કોઈપણ જગ્યાએ કોઈ વિધર્મીઓને ગાવા કે વગાડવા માટે ન બોલાવવા જોઈએ અને તે ઉપરાંત તેઓને રાસ રમવા માટે પણ ન આવવા દેવા જોઈએ તેના માટે આયોજકો અને પોલીસે ધ્યાન રાખવું જોઈએ તેવી ટકોર પ્રવિન તોગડીયા દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને ગિરીશભાઈ ઘેલાણીસી.ડી.રામાવતનિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News