ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન મંજુર


SHARE













વાંકાનેરના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન મંજુર

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં ના ઘીયાવડ ગામે ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં બે આરોપીના આગોતરા જામીન માટે સેસન્શ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને મંજુર કરવામાં આવેલ છે

ગત તા.૧૫-૦૮-૨૦૨૧ ના રોજ મોરબી એલ.સી.બી.ને ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલા રહે. ધિયાવાડ, તા.વાંકાનેર, જી.મોરબીવાળાએ ઘીયાવાડ ગામની ખારા તરીકે ઓળખાતી સિમના ખરાબામા પોતે બનાવેલ પોતાના કબ્જા ભોગવટા વાળા વરંડામા ડાંગર ના પરાર નીચે ગે.કા. રીતે ભારતીય બનાવટ નો અંગ્રેજી દારૂનો જથ્થો ગે.કા. વેચાણ કરવાનાં ઇરાદે સંતાડીને રાખેલ છે તેવી બાતમી મળતા બે પંચોનો સાથે રાખી બનાવ વાળી જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી ડાંગરના પરાર નીચેથી પૂઠાના અંગ્રેજી દારૂની ૩૩૬ બોટલો તથા નાઈટ બ્લુ મેટ્રો લીકર બોટલ ૫૮૮ મળી આવી હતી અને ત્યાં આજુ બાજુ તપાસ કરતા મજકુર રાજદીપસિંહ પ્રધ્યુંમનસિંહ ઝાલા હાજર મળી આવેલ નહિ અને પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરેલ હતી

જે તપાસ દરમ્યાન આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાનું નામ ખુલતા તેઓને પોલીસ અટકાયત કરશે અને ખોટી રીતે હાલના ગુન્હામા સંડોવી દેશે તેવી દહેસત હોવાથી બંને આરોપીએ એડવોકેટ શીરાક્મુદીન એમ. શેરસીયા મારફત સેસન્સ કોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આગોતરા જામીન અરજીમાં આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાના એડવોકેટ એસ. એમ. શેરસીયાએ ધારદાર દલીલો કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખેલ જેથી સેસન્સ કોર્ટ દ્રારા આરોપી રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયાને ૧૫૦૦૦/- ના જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ છે આ કામે આરોપીઓ રવિરાજ ગુણાભાઈ કુકડીયા તથા ભાવેશ નાથાભાઈ બાવળીયા વતી મુસ્કાન એસોસિએટસના એડવોકેટ શીરાકમુદિન એમ. શેરસીયા(ગઢવાળા), આદિલ એ.માથકિયા, ભરતભાઈ એચ. સંઘવી, ભુપત એસ. લૂંભાણી રોકાયેલ હતા.






Latest News