મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE













મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે માતાના મઢ જતાં પદયાત્રિકો માટે સેવા કેમ્પ શરૂ

મોરબીના મકનસર પાસે આવેલ હેડ કવાર્ટર પાસે આવેલ મેલડી માતાજીનાં મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી માતાના મઢે જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વધુમાં માહિતી આપતા ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે, મકનસર પાસે આવેહેડ કવાર્ટર ખાતે વણઝારાની મેલડી માતાજીનું મંદિર આવેલ છે અને ત્યાં ગામ લોકો દ્વારા છેલ્લા 19 વર્ષથી પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા બે વર્ષથી મોરબી જિલ્લા પોલીસ પણ તેમાં જોડાછે અને આ વર્ષે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ કેમ્પ શરૂ કરવામાં આવેલ છે અને એક સાથે 250 જેટલા પદયાત્રીઓ ત્યાં આરામ કરી શકે તે માટેની તમામ વ્યવસ્થા ત્યાં કરવામાં આવેલ છે. આ કેમ્પ શરૂ કરવામાં આવેલ હતો ત્યારે મેલડી માતાજી અને મહાદેવના મંદિરે મહા આરતી રાખવામા આવી હતી જેમાં ડીવાયએસપી પી.એ. ઝાલા તેમજ પીઆઇ એસ.મ. ચૌહાણ, હકૂમતસિંહ એ. જાડેજા, એન.એ.વસાવા, એન.આર. મકવાણા સહિતના અધિકારી અને પોલીસ જવાનો તેમના પરિવાર સાથે ત્યાં હાજર રહ્યા હતા.






Latest News