મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ


SHARE













માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ

મોરબી જીલ્લાના માળીયા તાલુકા તમામ ગામોમાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગ દ્વારા 24 કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવેલ છે જેથી કરીને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને 10 દિવસમાં સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકના યૂથ કોંગ્રેસના પ્રમુખ સંદીપ કલારિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી. જો કે, હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. જો 24 કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામો સતત 24 કલાક પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પાણીની સમસ્યાનો દિન-10 માં નિકાલ કરવામાં નહી આવે તો ના છુટકે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




Latest News