મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ


SHARE









માળીયા (મી) તાલુકામાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગે પાણીમાં મૂક્યો કાપ !: કોંગ્રેસનું અલ્ટિમેટમ

મોરબી જીલ્લાના માળીયા તાલુકા તમામ ગામોમાં ભાર ચોમાસે પાણી પૂઠવઠા વિભાગ દ્વારા 24 કલાકનો પાણીનો કાપ મૂકવામાં આવેલ છે જેથી કરીને લોકોને પાણી માટે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કોંગ્રેસ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને 10 દિવસમાં સમસ્યાનો નિકાલ નહિ કરવામાં આવે તો લોકોને સાથે રાખીને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મોરબી માળીયા વિધાનસભા બેઠકના યૂથ કોંગ્રેસના પ્રમુખ સંદીપ કલારિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં ખીરઈ ગામે આવેલ સંપ તથા પીપળીયા ચાર રસ્તે આવેલ સંપ દ્વારા માળીયા તાલુકાના તમામ ગામોને ૨૪ કલાક પાણી પુરૂ પાડવામાં આવતુ હતું. તેમ છતાં પણ માળીયા તાલુકાના ગામોમાં પાણીની તંગીની સમસ્યા રહેતી હતી. જો કે, હાલમાં પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા ૨૪ કલાક પાણીનો કાપ મુકવામાં આવેલ છે. જો 24 કલાક પાણીનો કાપ મુકી પાણી વિતરણ કરવામાં આવે તો માળીયા તાલુકાના તમામ ગામોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેમ છે. જેથી માળીયા તાલુકાના તમામ ગામો સતત 24 કલાક પાણી મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થ કરવામાં આવે તેવી માંગ કરી છે. આ પાણીની સમસ્યાનો દિન-10 માં નિકાલ કરવામાં નહી આવે તો ના છુટકે કોંગ્રેસ દ્વારા લોકોને સાથે રાખી જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News