મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં ?: કોંગ્રેસનો અણીદાર સવાલ


SHARE













મોરબીમાં સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં ?: કોંગ્રેસનો અણીદાર સવાલ

મોરબીમાં ભાજપના આગેવાન દ્વારા સરકારી જમીન પર દબાણ કરી પાર્ટી પ્લોટ ઉભો કર્યો છે તે મોરબીના મામલતદાર કહે છે, તો મોરબી જિલ્લાના કલેકટર શા માટે દબાઈ છે. તેવો અણીદાર સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે અને સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાને સામે કલેકટર કેમ લેન્ડ ગ્રેબિંગ દાખલ નથી કરતાં તેવો પણ સવાલ કરેલ છે.

નાના માણસો પોતાના મકાનનો થોડો ભાગ બહાર કાઢીને ચણતર કરે તો તેની સામે લેન્ડ ગેબિંગની ફરિયાદ કરવામાં આવે છે તો કલેકટર દ્વારા સરકારી જમીન ઉપર દબાણ કરનારા ભાજપના આગેવાન સામે લેન્ડ ગ્રેબિંગ કેમ દાખલ કરવામાં આવતી નથી ? તેવો સવાલ મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવેલ છે અને વધુમાં તેઓએ એવું પણ કહ્યું છે કે, સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે અને તેનો કોમર્શિયલ ઉપયોગ પણ કરવામાં આવેલ છે તો પણ મોરબી માળિયાના ધારાસભ્ય કેમ ચૂપ છે ? તેમના દ્વારા આ સરકારી જમીનને દબાણ મુક્ત કરવા માટે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિવેદન આપવામાં આવતું નથી ? અને ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકારીને કહેવામા આવતું નથી તેવા પણ સવાલ કરેલ છે.

વધુમાં મહેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યુ છે કે, જિલ્લામાં ભાજપના આગેવાન દ્વારા ગોચર-સરકારી જમીન ઉપર દબાણ કરીને પોતાનો બિઝનેસ ઉભો કરી નાખેલ છે અને રેવન્યુ મામલતદાર, કલેકટર તેમના દબાણમાં આવી આંખ આડાં કરીને કોઈ કાર્યવાહી કરી રહ્યા નથી ત્યારે સરકારના અઘિકારી પ્રજાના ટેક્ષના પૈસાથી પગાર મેળવે છે જેથી કરીને પ્રજાના કામને પ્રાધાન્ય આપવું જોઈએ. અને જો મોરબીના કલેકટર ગેરકાયેદ ખડકાયેલ દબાણને દૂર નહીં કરાવે તો આગામી દિવસોમાં પ્રજાને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો કોર્ટમાં પણ જવાની તૈયારી છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રીએ જણાવ્યુ છે








Latest News