મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : રવાપરની યુવતીને સુરત ફરવા લઈ જઈ હોટલમાં બળાત્કાર


SHARE













મોરબીના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : રવાપરની યુવતીને સુરત ફરવા લઈ જઈ હોટલમાં બળાત્કાર

મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રહેતા એક પરિવારની યુવતી તેના વિસ્તારમાં જ રહેતા યુવકના પરિચયમાં હતી.જેથી યુવક તેણીને ફરવાના બહાને સુરત લઈ ગયો હતો અને ત્યાં કામરેજ વિસ્તારમાં એક હોટલમાં યુવતીની સાથે તેણીની ઇચ્છા વિરૂધ્ધ બળજબરી આચરી હતી.જેથી કરીને ભોગ બનેલ યુવતીએ સમગ્ર ઘટનાની પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આપતા યુવતીએ જાત ફરિયાદી બનીને પોલીસમાં ફરિયાદ આપી હતી.જેથી મોરબી એ ડિવિઝન પોલીસે (૦) જીરો નંબરથી ગુનો દાખલ કરીને સુરત પોલીસને મોકલી હોવાનું હાલ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર રહેતા એક પરિવારની યુવતી તેના જ વિસ્તારમાં રહેતા ઉદય રતિલાલ સનારીયા નામના યુવકના પરિચયમાં હતી.જેથી તે યુવક તે યુવતીને ફરવાના બહાને ગત તા.૧૩-૫-૨૪ થી તા.૧૫-૫૨૪ દરમિયાન સુરત લઈ ગયો હતો અને ફરવાના બહાને સુરત લઈ ગયા બાદ સુરતના કામરેજ વિસ્તારની એક હોટલમાં તે યુવતીની સાથે તેણીની ઈચ્છા વિરૂધ્ધ બળજબરી આચરી હતી.જેથી કરીને મોરબી આવ્યા બાદ સમગ્ર ઘટનાની યુવતીએ તેના પરિવારજનોને જાણ કરતા પરિવારજનોએ હિંમત આપતા ભોગ બનેલ યુવતીએ જાત ફરિયાદી બનીને ઉદય રતિલાલ સનારીયા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી હાલ એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ હકુમતસિંહ જાડેજા દ્વારા ઝીરો (૦) નંબરથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ફરિયાદ સુરત પોલીસને આગળની તપાસ અર્થે મોકલવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.અત્રે નોંધનીય છે કે હાલના સમયમાં માતા-પિતાઓએ સતર્ક રહેવાની જરૂર છે અને તેમના સંતાનોને ભય સ્થાનો વિશે સતત સમજાવતું રહેવું પડે તેવો અત્યારનો સમય છે.

વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં અજાણ્યા વાહનના ચાલકે બાઇકને હડફેટે લેતા હંસરાજભાઈ નરસિભાઈ કોબીયા (રહે.કોઠારીયા-વાંકાનેર) નામના ૩૭ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચી હતી.જેથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.








Latest News