મોરબીના રાજપર ગામે આગેવાનોની હાજરીમાં શાળા ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો
મોરબી : લેડીસ કર્મચારીઓને ઓકીસમા સેવા લેવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબી : લેડીસ કર્મચારીઓને ઓકીસમા સેવા લેવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના જાગૃત નાગરિક અને પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરીને ઉપરોકત વિષયે જણાવેલ છે કે, સરકારના હુકમ અનવ્યે મહીલાઓ માટે ચાલીસ ટકા નોકરી અનામત આપેલ છે.જે આવકાર દાયક છે.પરંતુ ગુજરાત એસ.ટી.માં મહીલાઓને કંડકટરને બદલે તેઓને ઓફીસમાં નોકરી જેમ કે કંન્ટ્રોલ પોઈન્ટ, કેશ વિભાગ કે અન્ય શાખામા તેમની ભરતી કરવી જોઈએ.
કંડકટરમાં તેમની સેવા લેવી વ્યાજબી નથી કારણ કે મહીલા કંડકટરના ભુતકાળમાં અધિકારી કર્મચારી સાથે ધણા જ વાદ વિવાદ થયેલ છે અને અધિકારી કર્મચારી સામે સાચી ખોટી ફરીયાદો પણ થયેલ છે.તેમજ મહીલા કંડકટર મોઢે દુપટ્ટા બાંધે છે જેથી કોઈ વૃધ્ધાના પૈસા બાકી હોય તો અથવા કોઈ ગંભીર કેસમા તેમની ઓળખ પરેડ કરવી ધણી જ મુશકેલી ઉભી થાય છે.જેને લુંટ કરવી હોય તેને મોઢે બુકાનો બાંધવો પડે આ કયા લુંટ કરવા નીકળે છે..? જેથી ગુજરાત એસ.ટી.નિગમે મહીલા કંડકટરને મોઢે બુકાનો બાંધે છે તે બુકાનો બાંધે નહી તેવા પરિપત્ર જાહેર કરવો જોઈએ તેમજ જો મહીલાને ઓફીસમા નોકરી આપવામા આવશે તો તેના પરિવાર અને પોતાના બાળક માટે પણ ધ્યાન આપી શકશે.બાળકએ આવતી કાલનું રાષ્ટનું ધન છે.જે પણ બરબાદ થતુ અટકે તો આ બાબતે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પી.પી.જોશી દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં માંગ કરવામાં આવેલ છે.