માળીયા (મી)ના હત્યાના પ્રયાસના બનાવમાં પકડાયેલા ત્રણેય આરોપીના જામીન મંજૂર
માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર
SHARE
માળીયા (મી) તાલુકની કોલસાની ચોરી-છેતરપીંડીના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીના જામીન મંજૂર
માળીયા પોલીસ સ્ટેશનમાં કોલસાની ચોરી તેમજ છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને તેના જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવેલ છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ માળીયા પોલીસ સ્ટેશનમાં કેતનભાઈ ગુણવતભાઈ વ્યાસ, સુરેશભાઈ રામજીભાઈ સરવૈયા અને મેહુલગીરી મહેશગીરી ગોસ્વામી વિરુદ્ધ આઇપીસીની કલમ 406, 420, 465, 467, 468, 471, 120 (બી)-34 મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યા હતા અને આ આરોપીના જામીન માટેની અરજી મોરબીના સિનિયર વકીલ મનીષ ઓઝા (ગોપાલ ઓઝા) અને મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં મોરબીની સેસન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ સમક્ષ રેગ્યુલર જામીન અરજી માટે મનીષ ઓઝા દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે.