બટેકાની આડમાં બિયરની હેરાફેરી !: હળવદના નવા દેવળીયા પાસેથી 8298 બિયર ભરેલ ટ્રક સાથે એકની ધરપકડ: 28.37 લાખનો મુદામાલ કબ્જે મોરબીના નવલખી રોડે ઓટો રીક્ષાને કાર ચાલકે મારી ટક્કર, ત્રણ વ્યક્તિને ઇજા: રવાપર રોડેથી બાઈકની ચોરી વાંકાનેર, માળીયા (મી) અને મોરબીમાં દારૂની ચાર રેડ: 143 બોટલ દારૂ ઝડપાયો, 5 શખ્સ પકડાયા-એકની શોધખોળ મોરબીના જીકિયારી ગામે રહેતા યુવાને એકલવાયા જીવન-બેકારીથી કંટાળીને કર્યો આપઘાત મોરબી નજીક ટાઇલ્સ કટીંગના કારખાનામાં લેબર ક્વાર્ટરમાં રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત તાંઝાનિયામાં બે બસ વચ્ચે ટક્કરમાં ૩૮ લોકોના મોત થયા મોરબીની પીપળીયા ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ, ગુનો નોંધાતા તપાસ શરૂ મોરબીના બેલા નજીક અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા ઇજા પામેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી: મગફળી, મગ, અડદ અને સોયાબીનની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે


SHARE















મોરબી: મગફળી, મગ, અડદ અને સોયાબીનની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી થશે.

કેન્દ્ર  સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ મગફળી માટે  રૂ. ૬,૭૮૩( રૂ.૧૩૫૬.૬૦ પ્રતિ મણ), મગ માટે  રૂ. ૮,૬૮૨( રૂ.૧૭૩૬.૪૦ પ્રતિ મણ), અડદ માટે  રૂ. ૭,૪૦૦( રૂ.૧૪૮૦ પ્રતિ મણ) અને સોયાબીન રૂ. ૪,૮૯૨ ( રૂ. ૯૭૮.૪૦ પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૧૧/૧૧/૨૦૨૪થી ૦૮/૦૨/૨૦૨૫ સુધી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર નોંધણી કરી શકાશે તેવું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News