મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા


SHARE













હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં ઘરના ફળિયામાં ખાટલામાં સૂતેલા યુવાનની પ્રેમ પ્રકરણમાં નિર્મમ હત્યા

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે ત્યાં આવી હતી અને યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાની ચર્ચા ચાલી રહી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) નામનો યુવાન રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ તેને માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાના બનાવની તપાસ શરૂ કરી છે અને યુવાનની હત્યા પ્રેમ પ્રકરણમાં થયેલ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. જો કે, યુવાનની હત્યા કોને કરી અને કયા કારણોસર કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.




Latest News