મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો


SHARE













પ્રેમ પ્રકરણ: હળવદ તાલુકાનાં માનસરમાં પિતરાઈ ભાઈ અને બહેને સજોડે આપઘાત કર્યો

મોરબી જીલ્લામાં ઘણા લોકો રોજગારી માટે આવે છે તેવી જ રીતે હળવદના માનસર ગામે છોટાઉદેપુર જિલ્લામાંથી ખેત મજૂરી કરવા પરિવાર આવેલ હતો અને પિતરાઈ ભાઈ તેમજ બહેનને પ્રેમ સબંધ હતો. જો કે, એક નહીં થઈ શકે તેની ચિંતામાં માનસર ગામની સીમમાં વીજ પોલ સાથે ગળાફાંસો ખાઈને સજોડે આપઘાત કરેલ છે. જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલ હળવદના માનસર ગામે હસમુખભાઈ ગોહિલની વાડીએ રાઇન મજૂરી કામ કરતાં આરતીબેન નવલસિંહ તડવી (20) અને સંજયભાઈ કનુભાઈ તડવી (23) એક દિવસથી ગુમ હતા જેથી તેને શોધી રહ્યા હતા અને તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગેલ ન હતો દરમ્યાન માનસર ગામની સીમમાં સુરેશભાઈની વાડી પાસે વીજ પોલ ઉપરથી ગળાફાંસો ખાધેલ હાલતમાં આરતીબેન અને સંજયભાઈનો આપઘાત કરેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી કરીને બંનેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી હતી જે મૃતક બંને પિતરાઈ ભાઈ અને બહેન છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે, સમાજ એક નહીં થવા દે તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધેલ છે તેવી લાગી રહ્યું છે.




Latest News