મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગૃપ દ્વારા 160 બાળાઓને લ્હાણી વિતરણ
મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું
SHARE








મોરબી વિહિપના કાર્યકારી અધ્યક્ષ દ્વારા કન્યાપુજન કરવામાં આવ્યું
શારદીય નવરાત્રિના નાવલા નોરતાના પવિત્ર દિવસોમાં માતાજીની શક્તિની ભકિતના આ દિવસોમાં જપ,તપ તથા અનુષ્ઠાન કરવાથી માં ની કૃપા વરસે છે તો આ પવિત્ર દિવસો માં વિશ્ર્વ હિન્દુ પરિષદ મોરબી પખંડના કાર્યકારી અધ્યક્ષ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નવ દિવસ માતાજીના અનુષ્ઠાન પૂર્ણ કરીને કન્યાપુજન કરવામાં આવ્યું હતું તથા સાક્ષાત્ નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓને ભાવતા ભોજનિયા તથા ભેટ આપવામાં આવી હતી તથા નવદુર્ગા સ્વરૂપ નાની બાળાઓના આશીર્વાદ મેળવ્યા હતા.

